UP News: 2024 પહેલા ડૉક્ટરોની રિટાયરમેન્ટ ઉંમર વધારશે સરકાર? સીએમ યોગીએ આપ્યા મોટા સંકેત
Uttar Pradesh chief minister Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ રમવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યોગી સરકાર ટૂંક સમયમાં યુપીના ડૉક્ટરોને મોટી ભેટ આપી શકે છે. સીએમ યોગીએ હવે ડૉકટરોની નિવૃત્તિ વય વધારવાનો સંકેત આપ્યો છે. આને ચૂંટણી પહેલા સરકારના મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે.
સીએમ યોગીએ અધિકારીઓને ઉત્તર પ્રદેશની સરકારી હૉસ્પિટલોમાં સેવા આપતા ડોકટરોની નિવૃત્તિની વય વધારવા અને તમામ રાજ્ય સંચાલિત આરોગ્ય સુવિધાઓમાં ડૉકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડૉકટરોની પુનઃ રોજગારી માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવા અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્યમાં સરકારી ડૉકટરોની વર્તમાન નિવૃત્તિ વય 62 વર્ષ છે જે વધારીને 65 વર્ષ કરવામાં આવી શકે છે. બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "રાજ્યની તમામ સરકારી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં લાયકાત ધરાવતા અને કુશળ ડૉકટરોની નિમણૂક થવી જોઈએ. કોઈ પણ જગ્યા ક્યાંય ખાલી ન રહેવી જોઈએ.''
મુખ્યમંત્રીએ કહ્યું કે હૉસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા અત્યંત મહત્વની છે. યોગી આદિત્યનાથે કહ્યું કે હાલમાં નિષ્ણાત ડૉક્ટરો સીધી ભરતી અને સામાન્ય ડૉક્ટરોની વિશેષ તાલીમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી ઘણી ટોચની સંસ્થાઓએ લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે રાજ્યના મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિકાસ વિભાગોમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે પછાત વિસ્તારોમાં હોસ્પિટલોના વિકાસ માટે ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા સારી નીતિ બનાવવી જોઈએ.
આઠ પછાત મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 100 મહત્વાકાંક્ષી વિકાસ બ્લોકના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો અપેક્ષિત પરિણામો આપી રહ્યા છે તેમ જણાવતા તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં રહેતા લોકોને સારી આરોગ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર તમામ જરૂરી વ્યવસ્થા કરવા પ્રતિબદ્ધ છે.
અધિકારીઓને નવી નીતિ ઘડતી વખતે ખાનગી ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહેતા, તેમણે કહ્યું, "પ્રારંભિક તબક્કામાં, આપણે આ વિસ્તારોમાં ઓછામાં ઓછી 50 પથારીની ક્ષમતા ધરાવતી હૉસ્પિટલ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પ્રયાસ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિકાસ બ્લોક્સમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓની ઉપલબ્ધતાને સરળ બનાવવા માટે ખૂબ મદદરુપ સાબિત થશે.''
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
