પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે
પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થયા બાદ હનુમાન જયંતીના દિવસે ટ્વીટ કર્યાં. ચૂંટણી પંચે તેમને લોકસભા ચૂંટણીમાં આચાર સંહિત તોડવાના દોષી ગણ્યા હતા. જે બાદ પંચે તેમના પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો. યોગીએ પ્રતિબંધ હટતા જ પહેલા ટ્વીટમાં લોકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે મારી અને હનુમાનજીની વચ્ચે કોઈ ન આવી શકે. આ ઉપરાંત તેમણે લખ્યું કે ચૂંટણી પંચના આદેશનું મેં સન્માન કર્યું.
|
પ્રતિબંધ બાદ પહેલું ટ્વીટ હનુમાનના નામે
યોગી આદિત્યનાથે પ્રતિબંધ હટતા જ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે હનુમાનજીમાં મારી અતૂટ આસ્થા છે અને સંકટમોચનમાં આ આસ્થાની વચ્ચે કોઈ ન આવી શકે, તેમનું દ્રઢ સંકલ્પિત, સમ્પિત જીવન મારા માટે પ્રેરણાસ્રોત છે. નાસૈ રોગ હરૈ સબ પીરા. જો સુમિરૈ હનુમત બલબીરા. અલુલિત ભક્તિ ઔર અપરિમિત શક્તિ કે પ્રતિ શ્રી હનુમાનજીની જંયતિ પર તમને સૌને શુભકામનાઓ.
|
ચૂંટણી પંચનું સન્માન કર્યું
યોગીએ પોતાના બીજા ટ્વીટમાં ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ બૈનનો ઉલ્લેખ કરતા લખ્યું કે રાષ્ટ્રની સંવૈધાનિક સંસ્થાઓનું સન્માન અને લોકતાંત્રિક મૂલ્યોનું માન ભાજપની વિચારધારાનું વિભિન્ન અંગ છે, 72 કલાકમાં મેં ચૂંટણી પંચના આદેશનું સન્માન. ઉલ્લેખનીય છે કે તેમના અલી, બજરંગી, વાળા નિવેદન માટે પંચે તેમના પ્રચાર કરવા પર 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ પ્રતિબંધ લગાવી દીધો હતો.
|
મને સંવિધાને આસ્થાનો અધિકાર આપ્યો
યોગીએ વધુ એક ટ્વીટમાં લખ્યું કે મારા આરાધ્ય રામલલા, બજરંગ બલી અને મહાદેવજીના દર્શનને પણ કોઈ પણ પ્રકારની રાજનીતિ સાથે જોડીને ન જોવા જોઈએ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે આસ્થાનો અધિકાર સંવિધાને આપ્યો છે અને આ અધિકારનો ઉપયોગ કરવાથી મને કોઈ ન રોકી શકે.
|
મારી ધાર્મિક ઓળખ હિંદુ છે
યોગીએ પોતાની હિંદુ ઓળખને લઈ ટ્વીટ કરતા લખ્યું કે મારી રગેરગમાં રામ, કણેકણમાં કૃષ્ણ, પ્રત્યેક શિરામાં શિવ અને પ્રત્યેક ધર્મ અને કર્તવ્ય બોધ નિરંતર પ્રવાહિત થતા રહે છે. આજ હું ફરી કહેવા માગું છું કે મારી ધાર્મિક ઓળખ હિંદુ છે, એ હિંદુ જે ભારતમાં રહેતા તમામ પંથો અને ધર્મોનું સન્માન સમાન ભાવથી આદિકાળથી કરતો આવી રહ્યો છે. યોગી આદિત્યનાથ બૈન ખતમ થયા બાદ ઉત્તર પ્રદેશમાં આજે ચાર રેલીઓને સંબોધિત કરશે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનો બેન શુક્રવારે ખતમ થઈ રહ્યો છે, તેઓ આજે ચૂંટણી પ્રચાર કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
