1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવ
ગયા વર્ષે 2018માં કડકડતી ઠંડીના કારણે 1428 લોકોના જીવ ગયા હતા. એટલુ જ નહિ વર્ષ 1901 બાદની વાત કરીએ તો ગયા વર્ષે સૌથી ગરમ વર્ષ પણ રહ્યુ.
ગયા વર્ષે 2018માં કડકડતી ઠંડીના કારણે 1428 લોકોના જીવ ગયા હતા. એટલુ જ નહિ વર્ષ 1901 બાદની વાત કરીએ તો ગયા વર્ષે સૌથી ગરમ વર્ષ પણ રહ્યુ. મોટા અધિકારીઓએ જણાવ્યુ કે વર્ષ 2018માં તાપમાન સામાન્યથી વધુ હતુ. હવામાન વિભાગે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે વર્ષ 2018 સામાન્ય વર્ષ નહોતુ. દેશનું સરેરાશ તાપમાન સામાન્યથી વધુ રહ્યુ. તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસમાં સરેરાશ તાપમાનથી .59 ડિગ્રી સેલ્સિયસ વધુ હતુ કે જે 1901 બાદથી સૌથી ગરમ વર્ષ રહ્યુ છે. વળી, મોનસુન પહેલાની વાત કરીએ તો માર્ચ અને મે મહિનામાં સાતમું સૌથી વધુ ગરમ વર્ષ રહ્યુ હતુ.

સૌથી ગરમ અને સૌથી ઠંડુ વર્ષ
વળી, મહિનાના સરેરાશ તાપમાનની વાત કરીએ તો તે પણ સામાન્યથી વધુ ગરમ હતુ. ગયા વર્ષે ડિસેમ્બર મહિનાને છોડીને દર મહિનાનું તાપમાન સામાન્યથી વધુ રહ્યુ. હવામાન વિભાગે આની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ ગણાવ્યુ છે. ગયા વર્ષે સપાટીના સરેરાશ તાપમાનની વાત કરીએ તો તે દેશમાં .41 ડિગ્રી સેલ્સિયસ 1981-2010ની તુલનામાં વધુ રહ્યુ. એટલુ જ નહિ વર્ષ 2018 એ 1901 બાદનું છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ રહ્યુ છે.

પાંચ સૌથી ગરમ વર્ષ
છેલ્લા પાંચ સૌથી ગરમ વર્ષની વાત કરીએ તો 2016માં .72 ડિગ્રી સેલ્સિયસ, 2009માં .56 ડિગ્રી સેલ્સિયસ, 2017માં .55 ડિગ્રી સેલ્સિયસ, 2010માં .54 ડિગ્રી સેલ્સિયસ અને 2015માં .42 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 15 વર્ષોમાં સૌથી વધુ ગરમ વર્ષ 2004-2018 વચ્ચે રહ્યુ છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ રાજીવને જણાવ્યુ કે સૌથી વધુ ગરમ અને ઠંડુ વર્ષ 2018 રહ્યુ. આ 1901 બાદ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ રહ્યુ જ્યારે આ પહેલા 2016, 2009, 2010 અને 2015 સૌથી ગરમ વર્ષ રહ્યુ છે.

મૃતકોની આપી જાણકારી
મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને રાજીવને એક મેપ પણ શેર કર્યો છે જેમાં હવામાનના કારણે દેશભરમાં મરનાર લોકોની જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે 1428માંથી અડધા લોકોના ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ, વિજળી પડવાને કારણે મોત નીપજ્યા છે. વળી, ઉત્તર પ્રદેશમાં 590 લોકોના હવામાનના કારણે મોત થયા છે. અહીં પૂરના કારણે 158 લોકોના મોત થઈ ગયા. ઠંડી હવાઓના કારણે 135 લોકોના મોત નીપજ્યા છે.

વરસાદે લીધા ઘણા લોકોના જીવ
ભારે વરસાદના કારણે સૌથી વધુ લોકોના મોત નીપજ્યા છે. આના કારણે 688 લોકોના મોત થયા. કેરળમાં 8માંથી 23 ઓગસ્ટે આવેલા ભારે વરસાદના કારણે 223 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ઉત્તર પ્રદેશમાં 158 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં 139 લોકોના મોત થયા જ્યારે પશ્ચિમ બંગાળમાં 116 લોકોના મોત થઈ ગયા અને ગુજરાતમાં 52 લોકોના મોત થઈ ગયા. તિતલી અને ગાઝા વાવાઝોડાના કારણે 122 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હિમસ્ખલનના કારણે જમ્મુ કાશ્મીરમાં 11 લોકોના મોત નીપજ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે







Click it and Unblock the Notifications
