જામીન પર છૂટેલ યતિ નરસિંહાનંદે ફરીથી આપ્યુ વિવાદિત નિવદેન, કહ્યુ - હિંદુઓ વધુ બાળકો પેદા કરો
નફરત ફેલાવનારુ નિવેદન આપવાના કારણે મહંત યતિ નરસિંહાનંદને જેલ થઈ હતી પરંતુ જામીન પર જેલમાં બહાર આવ્યા બાદ પણ નરસિંહાનંદની જીભ કાબુમાં નથી.
નવી દિલ્લીઃ નફરત ફેલાવનારુ નિવેદન આપવાના કારણે મહંત યતિ નરસિંહાનંદને જેલ થઈ હતી પરંતુ જામીન પર જેલમાં બહાર આવ્યા બાદ પણ નરસિંહાનંદની જીભ કાબુમાં નથી. એક વાર ફરીથી તેમણે સમાજમાં ઝેર ફેલાવતુ નિવેદન આપ્યુ છે. રવિવારે નરસિંહાનંદે હિંદુઓને વધુ બાળકો પેદા કરવા માટે કહ્યુ છે જેનાથી ભારત ઈસ્લામિક દેશ ના બની શકે. તેમણે કહ્યુ કે દેશને હિંદુઓવિહીન થવાથી બચાવવા માટે હિંદુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. વળી, અખિલ ભારતીય પરિષદ હિમાચલ પ્રદેશના ઈન્ચાર્જ યતિ સત્યમેવાનંદ સરસ્વતીએ કહ્યુ કે ભારત લોકતાંત્રિત દેશ છે કારણકે અહીં હિંદુ બહુમતી છે.

સત્યમેવાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે મુસ્લિમો જાણી જોઈને વધુ બાળકો પેદા કરી રહ્યા છે, તે આયોજપૂર્વક આમ કરી રહ્યા છે. તેમણે આ નિવેદન હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મુબારકપુરમાં આયોજિત ધર્મ સંસદના પહેલા દિવસે આપ્યુ છે. સરસ્વતીએ કહ્યુ કે આ કારણ છે કે અમારુ સંગઠન હિંદુઓેને વધુ બાળકો પેદા કરવા માટે કહે છે જેથી દેશને ઈસ્લામિક દેશ બનવાથી રોકી શકાય. આ ધર્મ સંસદમાં યતિ નરસિંહાનંદ, અન્નપૂર્ણા ભારતી સહિત ઘણા મહંતે ભાગ લીધો.
સરસ્વતીએ કહ્યુ કે ભારતને પણ પડોશી દેશ પાકિસ્તાનની જેમ મુસ્લિમ બહુમતી દેશ બનાવી દેવાશે. આના કારણેજ અમારુ સંગઠન લોકોને વધુ બાળકો પેદા કરવા માટે કહી રહ્યુ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું આ દેશની રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ નથી જેમાં ઓછા બાળકો પેદા કરવા માટે કહેવામાં આવે છે તો તેમણે કહ્યુ કે દેશમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે માત્ર બે જ બાળકોને જન્મ આપો.
ઉના જિલ્લાના અંબ પોલિસ સ્ટેશનના એસએચઓએ વિવાદિત નિવેદનના કારણે નરસિંહાનંદ સામે પોલિસ એક્ટ 2007 હેઠળ કેસ નોંધી લીધો છે. તેમણે કહ્યુ કે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નરસિંહાનંદની ગયા વર્ષે હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદમાં વિવાદિત નિવેદનના કારણે ધરપકડ કરવામાં આવી હતી. અહીં તેમણે મુસલમાનો સામે ભડકાઉ ભાષણ આપ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
