વિશ્વ પર્યાવરણ દિવસઃ દુનિયાભરમાં કેટલા બચ્યા છે વૃક્ષો, કેટલા કપાય છે દર વર્ષે?
World Environment Day: સમગ્ર વિશ્વ આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રકૃતિના નામે છે, જેની પાછળનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
વિશ્વની વસ્તી વધી રહી છે અને ગાઢ જંગલો સંકોચાઈ રહ્યા છે. જ્યારે સમગ્ર માનવજાત પ્રકૃતિ પર નિર્ભર છે ત્યારે તેની અસર જીવન પર પડવાની જ છે. જીવવા માટે આપણને હવા, પાણી અને ખોરાકની જરૂર છે, જે આપણને પર્યાવરણમાંથી મળે છે. વૃક્ષો વિના તેની કલ્પના પણ શક્ય નથી. આજે વિશ્વ પર્યાવરણ દિવસે જાણીએ કે દુનિયામાં કેટલા વૃક્ષો છે.

વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને વનનાબૂદીની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે પરંતુ લોકોનું ધ્યાન ક્યારેય વૃક્ષો તરફ ગયુ નથી. વિશ્વભરમાં માનવ વસાહતો વધવાની સાથે, રહેણાંક વિસ્તારોનો વિસ્તાર સતત વધી રહ્યો છે, જેના કારણે જંગલોનો ફેલાવો ઘટી રહ્યો છે.
જેના કારણે માત્ર જંગલ વિસ્તારોનું જ શોષણ થતું નથી પરંતુ જંગલોમાં રહેતા વન્ય પ્રાણીઓ પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આ દરમિયાન વૈશ્વિક સ્તરે 3.04 ટ્રિલિયન (30 ટ્રિલિયન 40 અબજ) વૃક્ષો હોવાનો અંદાજ છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આનો અર્થ એ છે કે પૃથ્વી પર દરેક વ્યક્તિ માટે અંદાજે 422 વૃક્ષો છે.
આ દરમિયાન વનનાબૂદીના આપણા વર્તમાન દર તેમજ મોટાપાયે વૃક્ષારોપણની પહેલ સાથે આ સંખ્યા આગામી દાયકાઓમાં સ્થિર થવાની અપેક્ષા છે. એક પ્રશ્ન એ પણ છે કે પહેલા કેટલા વૃક્ષો હતા?
માનવ સંસ્કૃતિના ઉદય પહેલા, મોટાભાગના ઇતિહાસકારોનો અંદાજ છે કે લગભગ 6 અબજ હેક્ટર જમીન પર વિશ્વના જંગલોનો કબજો હતો. આજે આનો માત્ર એક અંશ જ બચ્યો છે, વિશ્વનું વન આવરણ ઘટીને લગભગ 3 અબજ હેક્ટર થઈ ગયુ છે. એવો અંદાજ છે કે તે સમયે લગભગ 6 ટ્રિલિયન વૃક્ષો હતા, એટલે કે આજે છે તેનાથી લગભગ બમણા વૃક્ષો, હરિયાળીનો નાશ થઈ ચૂક્યો છે.
લેટેસ્ટ નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ નુકસાન માટે કૃષિ અને આધુનિક માળખાકીય વિકાસને સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ 10 અબજ વૃક્ષો કાપવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં સરકારોએ વિવિધ વૃક્ષ સંરક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા છે, જે ઉપલબ્ધ વન સંસાધનોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. યુએસમાં રાષ્ટ્રીય જંગલોની રચના, જેમ કે અલાસ્કામાં બે રાષ્ટ્રીય જંગલોએ પણ વનનાબૂદી ઘટાડવામાં મદદ કરી છે.
વિશ્વના લગભગ 50 ટકા જંગલ વિસ્તાર રશિયા, કેનેડા, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન સહિતના 5 સૌથી મોટા દેશો પાસે છે, જ્યારે લગભગ બે તૃતીયાંશ જંગલ વિસ્તાર 10 દેશો પાસે આવે છે. જેમાં કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ભારત જેવા કેટલાક દેશોના નામ છે. વળી, આડેધડ વનનાબૂદી ઉપરાંત, જંગલમાં આગ જેવી ઘટનાઓ પણ વિશ્વમાં કુલ વૃક્ષોની સંખ્યાને અસર કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
