હવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? તે અંગે જાણો અહીં
તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટને બેંકમાં બદલવા માટે શું કરશો જાણો અહીં
મંગળવાર રાતે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશને એક સંદેશો આપ્યો છે. જે પછી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે આજે એટલે કે 8 નવેમ્બરની રાતના 12 વાગ્યાથી 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ બંધ થઇ જશે. તો જો તમારી પાસે પણ 500 અને 1000 રૂપિયાની નોટ ઘરમાં સાચવેલી પડી હોય તો તેનું શું કરશો તે અંગે વિસ્તૃત રીતે વાંચો અહીં.

સૌથી પહેલા તો ગભરાવાની જરૂર નથી. બજારમાં તમારી આ નોટ નહીં ચાલે પણ તમે આ તમામ નોટોને બદલીને નવી નોટ ખરીદી શકો છો. નોટ બદલવા માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો સરકારે કરી છે. જે મુજબ 31 માર્ચ 2017 સુધીમાં તમારે તમારી પાસેની તમામ 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ બદલવાની રહેશે. ક્યાં અને કેવી રીતે તે જાણો અહીં....
કેવી રીતે બદલશો નોટ?
જેમની પાસે 500 અને 1000 રૂપિયાની નોટ છે. તેમણે આ નોટો 10 નવેમ્બરથી લઇને 30 ડિસેમ્બર 2016 સુધી બેંક કે પછી ટપાલઘરમાં જઇને બદલવાની રહેશે.
બે દિવસ એટીએમ બંધ રહેશે
ખાસ નોંધ કે 9 અને 10 નવેમ્બર 2016ના રોજ એટીએમ મશીન કામ નહીં કરે. પણ તમે 30 ડિસેમ્બર સુધી પોતાની નોટ બદલી ના શકો તો તમારે 31 માર્ચ 2017 સુધીમાં આ નોટોને રિઝર્વ બેંકમાં જમા કરાવવી પડશે. સાથે તે પણ જાહેરાત કરવામાં આવી છે કે કાલે એટલે કે 9 નવેમ્બર 2016ના રોજ બેંક બંધ રહેશે.
નવી 500 અને 2000 રૂપિયાની નોટ આવશે
સરકારે જણાવ્યું છે કે હવે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ થઇ જશે. તેના બદલામાં 500 રૂપિયાની નવી નોટ આવશે. અને સાથે જ 2000 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરવામાં આવશે.
આ જગ્યા પર જૂની નોટ ચાલશે
જાહેરાત મુજબ 11 નવેમ્બર રાતના 12 વાગ્યા સુધી સીએનજી સ્ટેશન, પેટ્રોલ પંપ, એરપોર્ટ, કેન્દ્રીય ભંડાર, દવાની દુકાનો, દવાખાનામાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો વાપરી શકાશે.
કેમ બંધ કરાઇ 500 અને 1000ની નોટ?
નોંધનીય છે કે પીએમ મોદીએ અચાનક 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતા લોકો પણ સ્તબ્ધ છે. જો કે તેની પાછળનું મુખ્ય કારણ છે નકલી નોટની સમસ્યાનો અંત લાવવો. નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી પાકિસ્તાન અને આતંકી સંગઠનો ભારતીય અર્થવ્યવસ્થાને નબળી કરવા નકલી નોટોનું કારોબાર ચલાવી રહ્યા છે. જેને રોકવા આ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
