વિંગ કમાન્ડર પૃથ્વી સિંહની ગણતરી IAFના બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થતી હતી!
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સાથે આગરાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ પણ શહીદ થયા છે. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા.
આગ્રા, 09 ડિસેમ્બર : તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સાથે આગરાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ પણ શહીદ થયા છે. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા. વિંગ કમાન્ડરની શહાદતના સમાચાર મળતા જ લોકો તેમના ઘરે એકઠા થઈ ગયા હતા. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. MI-17 હેલિકોપ્ટર ઉડાવવામાં વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણની કાર્યક્ષમતા અંગે વાયુસેનાના અધિકારીઓને પણ વિશ્વાસ હતો. રિપોર્ટ અનુસાર, સૂડાનમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધા બાદ પૃથ્વીની ગણતરી વાયુસેનાના બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થવા લાગી હતી.

પૃથ્વી સિંહ ચૌહાણ 2000માં એરફોર્સમાં જોડાયા હતા
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સુરેન્દ્ર સિંહના એકમાત્ર પુત્ર હતા. બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે CDS બિપિન રાવતની સાથે હતા. પૃથ્વી સિંહ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. તેઓ 42 વર્ષના હતા અને સૈનિક સ્કૂલ રીવામાં ધોરણ 6માં એડમિશન બાદ તેની પસંદગી NDAમાં થઈ. વર્ષ 2000માં પૃથ્વી સિંહ એરફોર્સમાં જોડાયા હતા. હાલમાં તેઓ કોઈમ્બતુર નજીકના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. પૃથ્વીના લગ્ન વૃંદાવનની રહેવાસી કામિની સાથે 2007માં થયા હતા. તેમને 12 વર્ષની દીકરી આરાધ્યા અને 9 વર્ષનો દીકરો છે.

તેમની ગણતરી બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થતી હતી
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણની એરફોર્સમાં જોડાયા બાદ પહેલી પોસ્ટિંગ હૈદરાબાદમાં થઈ હતી. આ પછી તેમને ગોરખપુર, ગુવાહાટી, ઉધમ સિંહ નગર, જામનગર, આંદામાન અને નિકોબાર અને અન્ય એરફોર્સ સ્ટેશન પર પોસ્ટિંગ કરવામાં આવ્યા હતા. પૃથ્વીને પણ એક વર્ષની વિશેષ તાલીમ માટે સૂડાન મોકલવામાં આવ્યા હતા. તેઓ MI-17 હેલિકોપ્ટર ઉડાવવામાં નિષ્ણાત હતા. એરફોર્સના અધિકારીઓ પણ પૃથ્વીસિંહ ચૌહાણની કાર્યક્ષમતાથી માની ગયા હતા. સૂડાનમાં ટ્રેનિંગ લીધા બાદ પૃથ્વીની ગણતરી વાયુસેનાના બહાદુર ફાઈટર પાઈલટોમાં થતી હતી.

માતા-પિતાના આંસુ રોકાતા નથી
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના શહીદ થયા સમાચાર મળતાં જ સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. માતા સુશીલા ચૌહાણ અને પિતા સુરેન્દ્ર સિંહ ચૌહાણની હાલત ખરાબ છે. પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર કોઈમ્બતુર નજીક એરફોર્સ સ્ટેશન પર પોસ્ટેડ હતો. બુધવારે બપોરે હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર તેમને પુત્રી શકુંતલાએ આપ્યા હતા. તેણે ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ હતો. આ અંગે પુત્રવધૂ કામિનીનો સંપર્ક કર્યો. પુત્રવધૂએ આ કરુણ અકસ્માતની જાણકારી આપી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
