શ્રદ્ધાની 2020ની ફરીયાદ પર કેમ ના થઇ કાર્યવાહી? નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરાવશે તપાસ
શ્રદ્ધા વોકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ દ્વારા 18 મેના રોજ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ધીમે ધીમે મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલોમાં ફેંકી દેવાયા. દિલ્હી પોલીસ આ મ
શ્રદ્ધા વોકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ દ્વારા 18 મેના રોજ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ધીમે ધીમે મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલોમાં ફેંકી દેવાયા. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બુધવારે શ્રદ્ધા વોકરની ફરિયાદનો જૂનો પત્ર વાયરલ થયો હતો. આ પત્ર દ્વારા વોકરે મહારાષ્ટ્ર પોલીસને ફરિયાદ કરી હતી કે આફતાબ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રીયા
શ્રદ્ધા વોકર દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદની તપાસ કેમ ન કરાઈ? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું કે વર્ષ 2020માં શ્રદ્ધા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ખૂબ જ ગંભીર હતી. તેણે કહ્યું કે જો તે સમયે તપાસ થઈ હોત તો શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત. ફડણવીસે કહ્યું કે તેઓ હવે આ મામલાની તપાસ કરાવશે કે તે સમયે મામલાની તપાસ કેમ ન થઈ?

તુલિજ પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી ફરીયાદ
2020માં શ્રદ્ધા વોકર વતી તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ દ્વારા શ્રદ્ધાએ આરોપ લગાવ્યો હતો કે આફતાબ તેને મારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને તેના ટુકડા કરવાની પણ વાત કરતો હતો.

શ્રદ્ધા હત્યાકાંડનો આ રીતે થયો ખુલાસો
શ્રદ્ધા અને આફતાબ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. શ્રદ્ધા મુંબઈની રહેવાસી હતી. જ્યારે આફતાબ પણ અહીંનો રહેવાસી હતો. બંને વચ્ચે વાતચીત આગળ વધતાં તેઓ સાથે રહેવા લાગ્યા. જોકે શ્રદ્ધાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. જ્યારે પિતાએ શ્રદ્ધાને આફતાબ સાથે રહેવાની મનાઈ કરી ત્યારે તેણે પિતા સાથેના સંબંધોનો અંત લાવ્યો અને કહ્યું કે હું આજથી તારા માટે મરી ગયો છું. આ બધું હોવા છતાં પણ શ્રધ્ધાના પરિવારના સભ્યો મિત્રો દ્વારા તેના પર નજર રાખી રહ્યા હતા.
જ્યારે શ્રદ્ધાએ કેટલાક દિવસો સુધી મિત્રો સાથે વાત કરી ન હતી, ત્યારે મિત્રોએ આ વિશે શ્રદ્ધાના પિતાને જાણ કરી હતી. આ પછી પિતાએ પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે આ કેસમાં તપાસ શરૂ થઈ ત્યારે શ્રદ્ધાનું છેલ્લું લોકેશન દિલ્હીમાં મળી આવ્યું હતું. જે બાદ પાલઘર પોલીસે મામલો દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. જ્યારે દિલ્હી પોલીસે તપાસ માટે આફતાબની પૂછપરછ કરી તો તે સાચું બોલતો ન હતો અને કહી રહ્યો હતો કે શ્રદ્ધા તેને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. જોકે, દિલ્હી પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
