જગન્નાથ રથયાત્રા 2019: શું છે રથયાત્રાનો અર્થ, કેમ થાય છે તે દર વર્ષે આયોજિત?
તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે. એક સપ્તાહ સુધી ચાલનારી રથયાત્રામા આ વખતે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ શામેલ થવાની સંભાવના છે.
તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે. એક સપ્તાહ સુધી ચાલનારી રથયાત્રામા આ વખતે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ શામેલ થવાની સંભાવના છે કે જે ગયા વર્ષ કરતા 30 ટકા વધુ છે. વાસ્તવમાં, પુરી સ્થિત જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારને સમર્પિત છે, ભગવાન જગન્નાથની મુખ્ય લીલા ભૂમિ ઉડીસાની પુરી છે એટલા માટે તેને 'પુરુષોત્તમ પુરી' પણ કહેવામાં આવે છે. હિંદુઓ માટે આ રથયાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રથયાત્રામાં હોય છે ત્રણ રથ
તમને જણાવી દઈએ કે રથયાત્રામાં ત્રણ રથ હોય છે જેમાં સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તેની પાછળ પદ્મ ધ્વજ રથ પર માતા સુભદ્રા અને સૌથી પાછળ નન્દીઘોષ નામના રથ પર શ્રી જગન્નાથજી ચાલે છે. તાલધ્વજ રથ 65 ફૂટ લાંબો, 65 ફૂટ પહોળો અને ઉંચો છે. આમાં 7 ફૂટ વ્યાસના 17 પગથિયા લાગેલા હોય છે. બલરામજી અને સુભદ્રાજી બંનેનો રથ પ્રભુ જગન્નાથજીના રથથી નાનો હોય છે.

નાળિયેરના લાકડાથી બનાવવામાં આવે છે રથ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ નાળિયેરના લાકડાથી બનાવવામાં આવે છે. આવુ એટલા માટે કરવામાં આવે છે કારણકે આ લાકડુ હલકુ હોય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે. આ ઉપરાંત આ રથ બાકીના રથોની તુલનામાં પણ આકારમાં મોટો હોય છે.

જગન્નાથજી દશાવતાર રૂપે પૂજાય છે
રથયાત્રામાં જગન્નાથજીને દશાવતારો રૂપે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ ભગવાન જગન્નાથ વિવિધ ધર્મો, મતો અને વિશ્વાસોનું અદભૂત સમન્વય છે એટલા માટે પુરી રથયાત્રામાં ઘણા ધર્મોના લોકો પણ શામેલ થાય છે. કહેવાય છે કે રથનું નિર્માણ બુદ્ધિથી કરવામાં આવે છે, તેની તુલના વ્યક્તિના શરીર સાથે કરવામાં આવે છે, એવામાં રથરૂપી શરીરમાં આત્મા રૂપી ભગવાન જગન્નાથ બિરાજમાન થાય છે. આ રીતે રથયાત્રા શરીર અને આત્માના મેળ તરફ સંકેત કરે છે એટલા માટે શ્રી જગન્નાથજીનો રથ ખેંચીને લોકો પોતાને ધન્ય સમજે છે.

શું છે માન્યતા
જગન્નાથ પુરીની રથયાત્રાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે ઓડિશા આવે છે અને આ યાત્રામા રથને સ્પર્થીને પોતાના પાપોનો અંત કર છે. સ્કંધ પુરાણ મુજબ રથયાત્રામાં જે વ્યક્તિ શ્રી જગન્નાથજીના નામનુ કીર્તન કરતા કરતા ગુંડીચા નગર સુધી જાય છે તે બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી લે છે અને જે વ્યક્તિ શ્રી જગન્નાથજીના દર્શન કરતા કરતા પ્રણામ કરીને રસ્તાની ધૂળ કીચડ વગેરેમાં આળોટતા આળોટતા જાય છે તે સીધી ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામને મેળવે છે અને જે વ્યક્તિ ગુંડીચા મંડપમાં રથ પર બિરાજમાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીના દર્શમ દક્ષિણ દિશામાં આવતા કરે છે તેને મોક્ષ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
