કોણ છે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની?
દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. લાંબા વિચાર-વિમર્શ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે.
દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. લાંબા વિચાર-વિમર્શ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં ટેકનિકલ શિક્ષણ અને ઉદ્યોગિક તાલીમ મંત્રી હતા. આ પહેલા તે 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. ચરણજીત સિંહ ચન્ની રામદાસિયા શીખ સમુદાયના છે. 16 માર્ચ 2017 ના રોજ 47 વર્ષની ઉંમરે તેમને કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્ની ચમકૌર સાહિબ બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે.

ચરણજીત સિંહ ચન્ની મોહાલીના ખરડ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અભ્યાસ બાદ તેમણે ખરડમાંથી જ કાઉન્સિલર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે મુખ્યમંત્રી બન્યા બાદ ખરડમાં તેમના ઘરમાં ખુશીનું વાતાવરણ છે. તમામ સંબંધીઓ અને જાણકાર લોકો પરિવારને અભિનંદન આપવા પહોંચી રહ્યા છે.
ચરણજીત સિંહ ચન્ની મૂળ મોહાલીના ખરડના બજાઉલી ગામના છે. જો કે હાલ તેઓ મોહાલીના ખરડમાં રહે છે. ચરણજીત સિંહ ચન્નીના પિતા હરસા સિંહનું મોહાલીના ખરડમાં ટેન્ટ હાઉસ હતું. કોલેજના સમય દરમિયાન ચન્ની તેના પિતાના ટેન્ટ હાઉસમાં મદદ કરતા હતા. આ પછી સ્નાતક થઈ ઘનૌલીમાં એક પેટ્રોલ પંપ ખોલ્યો હતો.
ચન્નીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ખરડ મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલરની ચૂંટણી લડીને કરી હતી અને જંગી અંતરથી જીત્યા હતા. તત્કાલીન મંત્રી હરનેક સિંહ ઘંડૂઆએ બીજા કોઈને નગર પરિષદના વડા બનાવ્યા પરંતુ પાંચ વર્ષ પછી ચન્ની વડા બન્યા. તે બે વખત નદર પરિષદના ચેરમેન રહ્યા. આ પછી ચન્નીએ ચમકૌર સાહિબ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું અને કોંગ્રેસ તરફથી ટિકિટનો દાવો કર્યો પણ પછી તેમને ટિકિટ મળી નહીં. અપક્ષ ચરણજીત સિંહ ચન્નીએ ચમકૌર સાહિબ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને પોતાની જાતને સાબિત કરી હતી. આ પછી તેઓ અકાલી દળમાં જોડાયા, ત્યારબાદ પાર્ટીને અલવિદા કહ્યી કોંગ્રેસમાં જોડાય. આ બેઠક પરથી તે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
