જ્યારે બકરા વિના મનાવાશે બકરી ઈદ, એ વર્ષે થશે ફટાકડા વિનાની દિવાળીઃ સાક્ષી મહારાજ
દિવાળી પર ફટાકડા બેન કરવાની ચર્ચાઓ વચ્ચે સાંસદ સાક્ષી મહારાજે વિવાદિત નિવેદન આપ્યુ છે.
લખનઉઃ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે એક વાર ફરીથી પોતાના વિવાદિત નિવેદન માટે ચર્ચામાં છે. દિવાળી પર ફટાકડા બેન કરવાની ચર્ચાઓ વચ્ચે સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ, જે વર્ષે બકરા વિના બકરી ઈદ મનાવવામાં આવશે એ વર્ષે ફટાકડા વિના દિવાળી મનાવવામાં આવશે. ભાજપ નેતા સાક્ષી મહારાજે કહ્યુ, જો દેશમાં બકરા વિના બકરી ઈદ મનાવાય તો દિવાળી પર પણ ફટાકડા ફોડવાની જરૂર નહિ પડે. ઉલ્લેખનીય છે કે વધતા વાયુ પ્રદૂષણના કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોએ દિવાળી પર ફટાકડાને બેન કરી દીધા છે.

પ્રદૂષણના નામે વધુ જ્ઞાન આપવુ નહિઃ સાક્ષી મહારાજ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે સાક્ષી મહારાજે આ દાવો ફેસબુક પર કર્યો છે. રિપોર્ટ અનુસાર સાક્ષી મહારાજે લખ્યુ છે કે, 'જે વર્ષે બકરા વિના બકરી ઈદ મનાવવામાં આવશે, એ જ વર્ષે ફટાકડા વિના દિવાળી પણ મનાવવામાં આવશે. પ્રદૂષણના નામે ફટાકડા વિશે વધુ જ્ઞાન આપવુ નહિ.'

ઘણીવાર વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજની ગણતરી ભાજપના ફાયર બ્રાન્ડ નેતાઓમાં થાય છે. તે ઘણી વાર પોતાના નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ બાંગરમઉમાં ચૂંટણી પ્રચાર કરવા દરમિયાન સાક્ષી મહારાજે મુસલમાનો વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ, મુસલમાનો માટે મોટા સ્મશાન સ્થળ અને હિંદુઓ માટે નાના કેમ? આ ભેદભાવ કેમ... તેમણે કહ્યુ હતુ કે સ્મશાન સ્થળ મોટુ કે નાનુ જનસંખ્યાના આધારે હોવુ જોઈએ. સાક્ષી મહારાજે કથિત ચેતવણી આપીને એ પણ કહ્યુ કે, 'અમે કંઈ પણ કરી શકીએ છીએ.'

કોરોના પૉઝિટીવ આવ્યા સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજ હાલમાં દિલ્લીમાં હોમ આઈસોલેશનમાં છે. બકરી ઈદવાળી પોસ્ટ તેમણે હોમ આઈસોલશન દરમિયાન કરી હતી. સોશિયલ મીડિયા પર સાંસદ સાક્ષી મહારાજે એ વાતની માહિતી આપી હતી કે તો કોરોના પૉઝિટીવ થઈ ગયા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા છે, તે જલ્દી કોવિડ-19 ટેસ્ટ કરાવી લે. તેમણે જણાવ્યુ હતુ કે બાંગરમઉ પેટાચૂંટણીના ત્રણ દિવસીય પ્રવાસ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે કોરોના તપાસ કરાવી જેમાં તે સંક્રમિત મળી આવ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
