જ્યારે એક નારંગી વેચવા વાળો ઉઘાડા પગે પદ્મશ્રી લેવા પહોંચ્યો!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન જ્યારે કર્ણાટકના નારંગી વેચનારા રાષ્ટ્રપતિ પાસે સન્માન લેવા પહોંચ્યા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન જ્યારે કર્ણાટકના નારંગી વેચનારા રાષ્ટ્રપતિ પાસે સન્માન લેવા પહોંચ્યા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. હરેકલા હજબ્બા ખુલ્લા પગે સાદા વસ્ત્રો પહેરીને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે આજે હરેકલા હજબ્બાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કર્યું. કર્ણાટકના મેંગ્લોરના એક નારંગી વેરનારાએ તેમના ગામમાં એક શાળા બનાવવા માટે વ્યવસાયમાંથી રૂપિયા બચાવ્યા અને શાળા બનાવી.

હરકેલા મેંગ્લોર શહેરથી લગભગ 40 કિમી દૂર ગામમાં સંતરા વેચે છે. તેણે પોતાના ધંધામાંથી પૈસા બચાવ્યા અને ગામના બાળકો માટે શાળા બનાવી. ગામમાં શાળા ન હોવાથી હરકેલાનું ભણતર થઈ શક્યું ન હતું. તેથી તેણે પોતાના ગામમાં એક શાળા બંધાવી. તેમને આ પ્રયાસ વર્ષ 1995માં શરૂ કર્યો હતો. 2000 માં હરેકલા હજબ્બાએ તેમની બધી બચતનું રોકાણ કર્યું અને એક એકર જમીનમાં શાળા શરૂ કરી.
તમને જણાવી દઈએ કે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
President Kovind presents Padma Shri to Shri Harekala Hajabba for Social Work. An orange vendor in Mangalore, Karnataka, he saved money from his vendor business to build a school in his village. pic.twitter.com/fPrmq0VMQv
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 141 લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે એટલે કે આવતીકાલે 2021 માટે 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
