શું છે જમીન સંપાદન ખરડો, કયા મુદ્દાઓ પર ઉઠ્યા વિવાદ
નવી દિલ્હી (વિવેક શુક્લા), શું વિપક્ષ દેશ ભક્ત હોય છે અને સરકાર દેશ દ્રોહી? જમીન સંપાદન ખરડાના કેટલાંક બિંદુઓ પર જે પ્રકારે વિવાદ છેડાયો છે, તેનાથી તો એવું જ લાગે છે. આ સવાલ પર અણ્ણા હઝારેથી લઇને તમામ વિપક્ષી નેતા અને દળો આંદોલન કરી રહ્યા છે.
પરંતુ સરકારે કેટલાંક સવાલોના જવાબ આપવા પડશે. સરકારના ખરડાના સેક્શન 10(એ)માં સંશોધન કર્યું છે. આનાથી સરકાર, કોઇ વ્યક્તિ અથવા કંપનીઓને જમીન સંપાદન કરતા પહેલા 80 ટકા લોકો પાસેથી લીલી ઝંડી મેળવવાની જરૂરીયાત નહીં રહે. તમામ વિરોધી દળો આ બિંદુ પર સરકાર સાથે બે-બે હાથ કરવાના મૂડમાં છે.

તમામ વિરોધીઓ આ બિંદુઓ પર સરકારથી બે-બે હાથ કરવાના મૂડમાં છે. જોકે જમીન સંપાદનનો મુદ્દો સરકાર માટે મોટી પરીક્ષા સાબિત થશે. સંપૂર્ણ વિપક્ષ જમીન સંપાદન ખરડાની વિરુદ્ધ છે.
સંસદના ચાલુ બજેટ સત્રમાં આ ખરડા પર જોરદાર હોબાળો થઇ રહ્યો છે. સરકાર માટે રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાના કારણે તેને પાસ કરાવવું પડી રહ્યું છે. જોકે હવે સરકાર નરમ પડતી દેખાઇ રહી છે. જમીન સંપાદન કાનૂન પર સમજૂતીના સંકેતો દેખાઇ રહ્યા છે. સરકાર વચ્ચેનો માર્ગ કાઢવાની શોધમાં છે. સરકારે જમીન સંપાદન વટહુકમમાં પરિવર્તનના સંકેત આપ્યા છે, અને સરકાર નરમ વલણ અપનાવી ખેડૂતોની સહમતિ વાળી પરિયોજનાઓ વિસ્તાર કરી શકે છે.

જાણકારો અનુસાર, જમીન સંપાદન અને પુનર્વાસ માટે વિધેયકનું જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેના પ્રાવધાનો અનુસાર વળતરની રાશિ શહેરી વિસ્તારમાં નિર્ધારિત બજાર મૂલ્યના બેગણાથી ઓછી ના હોવી જોઇએ. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ રાશિ બજાર મૂલ્યના છ ગણાથી ઓછી ના હોવી જોઇએ.
જમીન સંપાદન અને પુનર્વાસના મામલાને સરકાર આવા જમીન સંપાદન પર વિચાર નહી કરે જે ખાનગી પરિયોજનાઓ માટે ખાનગી કંપનીઓ કરવા માંગશે અથવા તો જેમાં સાર્વજનિક પરિયોજનાઓ માટે ફળદ્રુપ જમીન લેવી પડે.

જો આ ખરડો કાયદો બની જાય છે તો ફળદ્રુપ સિંચિત જમીનનું સંપાદન નહીં કરાઇ શકાય. જમીન સંપાદનમાં અરજન્સી પ્રાવધાનની ખૂબ જ ટીકા થઇ છે. આ હેઠળ સરકાર એ કહીને ખેડૂતોની જમીન સુનવણી વગર તુરંત લઇ લે છે કે પરિયોજના તત્કાલ શરૂ કરવી જરૂરી છે.
ડ્રાફ્ટમાં જમીનના માલિકો અને જમીન પર આશ્રિતો માટે એક વિસ્તૃત પુનર્વાસ પેકેજનો ઉલ્લેખ છે. તેમાં એ ભૂમિહીનોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેમની રોજી-રોટી અધિગ્રહિત જમીનથી ચાલે છે. આની વચ્ચે અધિગ્રહણના કારણે જીવિકા ગુમાવનારને 12 મહીના માટે પરીવારદીઠ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
