મમતા બેનર્જીના બંગાળમાં એકલા ચૂંટણી લડવાના નિર્ણય પર એનસીપીએ શું કહ્યું?
ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદો વધી રહ્યા છે. હવે મમતા બેનર્જીએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે એનસીપીએ મમતા બેનર્જીનું સમર્થન કર્યુ છે.
શરદ પવારની NCP એ મમતા બેનર્જીની બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાતને ટેકો આપ્યો છે. પાર્ટીના મતે ટીએમસીનું આ સ્ટેન્ડ રણનીતિનો ભાગ હોઈ શકે છે.

મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની NCPએ દાવો કર્યો છે કે ઈન્ડિયા ગઠબંધન હજુ પણ બીજેપી સામે એકજૂટ છે. આ પહેલા બુધવારે TMC સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
શરદ પવાર જૂથના એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મુંબઈમાં કહ્યું કે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી ઈન્ડિયા એલાયન્સનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમારી સાથે છે અને અમે બીજેપી સામે મજબૂતીથી લડીશું.
તેમણે કહ્યું કે, જો મમતાજીએ કોઈ નિવેદન આપ્યું છે તો તે રણનીતિનો ભાગ હોઈ શકે છે. ઈન્ડીયા એલાયન્સમાં કોઈ વિવાદ નથી. તેમના મતે પ્રાદેશિક પક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વિપક્ષી ગઠબંધનને મજબૂત કરશે.
મમતા બેનર્જીના એક નિવેદને વિપક્ષી દળોમાં હોબાળો મચાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે મેં તેમને (કોંગ્રેસ) એક પ્રસ્તાવ (સીટ વહેંચણી અંગે) આપ્યો હતો, પરંતુ તેઓએ તેને શરૂઆતમાં જ ફગાવી દીધો. હવે અમારી પાર્ટીએ બંગાળમાં એકલા જ જવાનો નિર્ણય કર્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હવે અમે બંગાળમાં કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને 300 સીટો પર એકલા હાથે લડવા દો. બાકીની વાત કરીએ તો પ્રાદેશિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડી શકે છે. અમે બંગાળમાં તેમની તરફથી કોઈ દખલ સહન નહીં કરીએ.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશવાની છે ત્યારે મમતા કોંગ્રેસથી નારાજ છે. મમતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને સૌજન્યથી પણ માહિતી આપવાની જરૂર નથી લાગતી.












Click it and Unblock the Notifications
