જાણો ઇમરાન ખાનના પીએમ બનવાથી ભારત પર કેવી અસર પડશે
પાકિસ્તાન ઈલેક્શન પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝનોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 119 સીટો સાથે આગળ ચાલી રહી છે.
પાકિસ્તાન ઈલેક્શન પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝનોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 119 સીટો સાથે આગળ ચાલી રહી છે. જેનાથી સાફ દેખાઈ રહ્યું છે કે ઇમરાન ખાન આવનારા સમયમાં પાકિસ્તાનની દોર સંભાળશે. પરંતુ સવાલ છે કે તેનાથી ભારત પર કેવી અસર પડશે. બંને દેશોની જનતાના દિમાગમાં આ સવાલ ચોક્કસ ચાલી રહ્યો હશે.

સેનાના પોસ્ટર બોય છે ઇમરાન ખાન
આ ગંભીર મામલે વિદેશી મામલે જાણકાર કમર આગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે તો પાકિસ્તાનની નીતિ એવી જ હશે જે પાકિસ્તાનની સેના નક્કી કરશે. એમ પણ પાકિસ્તાનમાં ઇમરાન ખાન વિશે કહેવામાં આવે છે કે તેઓ સેનાના પોસ્ટર બોય છે. તેઓ એવું જ કરે છે જે સેના તમને કરવા માટે કહે છે. ઈલેક્શન રેલીમાં ઇમરાન ખાન કહી ચુક્યા છે કે તેઓ સેના સાથે મળીને કામ કરશે.

ભારત પાકિસ્તાન સાથે વાત નહિ કરે કારણકે...
પાકિસ્તાન હંમેશા કાશ્મીર મુદ્દો ભડકાવી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં ઇમરાન ખાન અને સેના કાશ્મીર મુદ્દો કેવી રીતે ઉકેલે છે તે એક મોટો સવાલ છે. પરંતુ ભારત સાફ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી તેઓ વાતચીત નહીં કરી શકે. એવી પરિસ્થિતિમાં જો પાકિસ્તાનને ભારત સાથે વાતચીત કરવી હોય તો તેમને આતંકવાદ ખતમ કરવો પડશે.

પીટીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભારત સાથે શાંતિપૂર્વક સંબંધ ઈચ્છે છે
ધ્યાન આપવા જેવી બાબત છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઘ્વારા તેમના ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્વક સંબંધ ઈચ્છે છે અને તેઓ વાતચીત ઘ્વારા સમસ્યા ઉકેલશે. કાશ્મીર મામલે તેઓ પોતાનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સામે રાખશે.

નવાઝ શરીફે ભારત સાથે દોસ્તી જ નિભાવી
વોટ નાખ્યા પછી ઇમરાન ખાને પોલિંગ બૂથ બહાર પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે નવાઝ શરીફે ભારત સાથે જ દોસ્તી જ નિભાવી અને તેમને પાકિસ્તાન આર્મીને કમજોર કરી. જો હું પીએમ બનીશ તો દેશની વૃદ્ધિ માટે જ વિચારીશ બીજા કોઈ માટે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
