ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ
ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ
આજતકના એક કાર્યક્રમમાં વાત કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે. વસુંધરા રાજે ક્યારેય પાર્ટીના આદેશો વિરુદ્ધ બોલ્યાં.

રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો
આ સમય બદલાવનો છે. દેશના કેટલાય રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો છે. પછી તે ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી આસામ જ કેમ ન હોય. તમામ જગ્યાએ ભાજપ આવી છે. સર્વેમાં રાજસ્થાનમાં સત્તા ગુમાવવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે રાજસ્થાનમાં અમે જીતશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 લાખ પરિવારના લોકોને કંઈકને કંઈક આપ્યું છે. એમનું જીવન સ્તર બદલાયું છે. અમે દરેક પરિવાર સાથે સંપર્ક કર્યો છે.

કરતારપુર જશો?
કરતારપુર જવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ભાગલા સમયે કરતારપુર સાહેબને છોડી દીધા હતા. માત્ર ચાર કિમી દૂર હોવા છતાં કોંગ્રેસ એના માટે રસ્તો નહોતી ખોલી શકી. કોંગ્રેસ ઉંઘતી રહી. એક ગામને ભારતમાં સામેલ ન કરી શકી. સિખ શ્રદ્ધાળુ કરતારપુર સાહેબને પૂજે છે. પરંતુ કોંગ્રેસે એ વાત ક્યારેય ન સમજી. માટે અમે પાકિસ્તાન સાથે વાત કરી કરતારપુર સાહેબ માટે રસ્તો ખોલ્યો. અમે માત્ર રાજનીતિ નથી કરી રહ્યા. ભાજપની કરતારપુર સાહિબ પ્રત્યે શ્રદ્ધા છે. હું પણ ત્યાં જઈશ.

જાણો શું કહ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહેબ કોરિડોર ઑફ પીસના રૂપને રાખવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાનમાં આર્મી અને સરકાર સાથે છે તો ક્યારેય શાંતિ થઈ જ ન શકે. પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડશે. જો આવું થશે તો આપોઆપ શાંતિ થશે.

સિદ્ધુ ખોટી જગ્યાએ ઉભા
નવજોત સિંહ સિદ્ધુને લઈને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ્ં કે સિદ્ધુને ખબર જ નથી કે તેઓ ક્યાં ઉભા છે. માટે તેઓ રાહુલ ગાંધી સાથે ચાલ્યા ગયા. આ જ કારણ છે કે તેમની સાથે ખાલિસ્તાન આતંકી ઉભો હતો. અમે કરતારપુર સાહેબ કોરિડોર ખોલાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન પાસે નહોતા ગયા. સિદ્ધુ ત્યાં ગયા હતા. પરિણામ શપથ વિધિમાં જવાથી નથી આવતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
