શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું, અમે સરકાર નહિ બનાવીઃ ભાજપના નેતા
મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવી શકીએ તેમ નથીઃ ભાજપના નેતા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લગભગ બે અઠવાડિયાથી સરકાર બનાવવાને લઈ ચાલી રહેલ ભાજપ અને શિવસેના વચ્ચેના ખેંચતાણ વચ્ચે નવો વળાંક આવ્યો છે. શનિવાર સુધી જ્યાં માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે હવે રવિવારે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મહારાષ્ટ્ર ભાજપ પોતાની સકાર નહિ બનાવે. અગાઉ પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરને મળવા રાજભવન પહોંચ્યા હતા.

ભાજપ સરકાર નહિ બનાવે
ભાજપના નેતાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે લાંબી બેઠક બાદ મહારાષટ્્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સાંજે ગવર્નર ભગત સિંહ કોશિયારીને મળવા રાજભવન પહોંચ્યા. ગવર્નરને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા પાટિલે કહ્યું કે, રાજ્યમાં મહાયુતીને જનાદેશ મળ્યો, પરંતુ જનાદેશનો અનાદર કર્યો અને સરકાર નથી બનાવી. હવે ભાજપ સરકાર નહિ બનાવે, અમે રાજ્યપાલને જણાવી દીધું છે.
|
શિવસેનાએ જનાદેશનો અનાદર કર્યો- પાટિલ
પાટિલે શિવસેના પર પ્રહાર કરતા કહ્યું કે શિવસેના જનાદેશું અપમાન કરીને જો કોંગ્રેસ અને રાકાંપાની સરકાર બનાવે છે તો અમારી શુભકામનાઓ. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમને સમજમાં નથી આવી રહ્યું કે જો ભાજપ પાસે બહુમત હતું તો રિઝલ્ટ આવ્યાના 24 કલાકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કેમ ન કર્યો. હાલ અમે એકેય પ્રકારના ગઠબંધન પર વિચાર કર્યો નથી. હાલ ભાજપને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો અમે અમારા સંસ્કારોના હિસાબે તેમને શઉભકામનાઓ આપીએ છીએ. મને નથી લાગતું લાગી રહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ બહુમત મેળવી શકશે.

કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા
મહારાષ્ટ્રના મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યો જયપુર પહોંચી ચૂક્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ તેમની સાથે બેઠક કરી. મુંબઈની હોટલ રિટ્રીટમાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાના 56 ધારાસભ્યો સાથે બેઠક કરી. શરદ પવારની પાર્ટી રાકાંપાએ પણ સરકાર બનાવવા માટે શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા છે. પાર્ટીએ રાજનૈતિક સ્થિતિ પર ચર્ચા માટે 12 નવેમ્બરે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
