નીતીશને વિદેશથી સોનિયાના આવવાનો છે ઇંતજાર, થર્ડ ફ્રંટ વિશે શું કહ્યું? જાણો
મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષી એકતાના અભિયાનના ભાગરૂપે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે NCP ચીફ શરદ પવારને પણ મળ્યા છે. તેમનો દાવો છે કે 2024ની ચૂંટણીમાં વિપક્ષની એકતા અંગે વિપક્ષી નેતાઓનું વલણ ખૂબ જ સકારાત્મક છે અને
મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષી એકતાના અભિયાનના ભાગરૂપે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે NCP ચીફ શરદ પવારને પણ મળ્યા છે. તેમનો દાવો છે કે 2024ની ચૂંટણીમાં વિપક્ષની એકતા અંગે વિપક્ષી નેતાઓનું વલણ ખૂબ જ સકારાત્મક છે અને સામાન્ય ચૂંટણીમાં સારી લડાઈ થશે. તેમણે કહ્યું છે કે તેઓ વિપક્ષને એક કરવા માટે કામ કરતા રહેશે, પરંતુ તેઓ ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો બનાવવા માંગે છે. નીતીશ કુમાર ગયા સોમવારથી દિલ્હીમાં ધામા નાખ્યા છે અને લગભગ તમામ મોટા વિપક્ષી નેતાઓને મળી ચૂક્યા છે. તેમણે વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાની પણ વાત કરી છે.

અમને ત્રીજો મોરચો નહીં, મુખ્ય મોરચો જોઈએ છેઃ નીતીશ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બુધવારે કહ્યું હતું કે 'એકવાર સોનિયા ગાંધી વિદેશથી આવશે, હું તેમને મળીશ. જરૂર પડશે તો અમે (વિપક્ષી નેતાઓ) ફરી મળીશું. દરેકનો અભિગમ હકારાત્મક હતો. અમને ત્રીજો મોરચો નહીં પણ મુખ્ય મોરચો જોઈએ છે. હું વિપક્ષને એક કરવાનું આ કામ ચાલુ રાખીશ. નીતીશ કુમારે ગયા મહિને બિહારમાં બીજેપી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું અને RJDની આગેવાની હેઠળના મહાગઠબંધન સાથે સરકાર બનાવી, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે અને તેને ડાબેરી પક્ષો અને અસદુદ્દીન ઓવૈસીના AIMIMનો ટેકો છે.

હું (વિપક્ષનો) નેતા નહીં બનીશ - નીતીશ
તેમણે ફરી કહ્યું છે કે 'હું નેતા નહીં બનુ, હું (વિપક્ષની) એકતા માટે પ્રયાસ કરીશ. ભાજપ દેશને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. જો બધા સાથે મળીને ચૂંટણી લડશે તો ચિત્ર અલગ હશે, અમે દરેક સાથે વાત કરી રહ્યા છીએ. નીતીશે કહ્યું કે 'આપણે મુખ્ય મોરચો બનાવવો જોઈએ, ત્રીજો મોરચો નહીં'. તેમણે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી "ખૂબ સારી" હશે. 'તે અત્યાર સુધી એકતરફી હરીફાઈ રહી છે.'

નીતીશ કયા નેતાઓને મળ્યા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત નીતીશ કુમાર અત્યાર સુધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હટાઓ અભિયાનમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓને મળ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા, આઈએનએલડીના ઓમ પ્રકાશ ચૌટાલા અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેઓ CPIMLના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યને પણ મળ્યા છે, જેમની પાર્ટીએ હવે બિહારમાં નીતીશની પાર્ટી સાથે જોડાણ કર્યું છે.
Delhi | Once Sonia Gandhi comes from abroad, I will meet her. If needed, we (opposition leaders) will meet again. Everyone's attitude was positive. We want to be the main front, not the third front. I will continue this work of uniting opposition: Bihar CM Nitish Kumar pic.twitter.com/bd7ZtiB3Mf
— ANI (@ANI) September 7, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
