15 લાખ રૂપિયા આપવાનું વચન ક્યારેય નથી આપ્યુંઃ રાજનાથ સિંહ
15 લાખ રૂપિયા આપવાનું વચન ક્યારેય નથી આપ્યુંઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે સત્તાધારી દળ ભાજપે પોતાનો સંકલ્પ પત્ર સોમવારે જાહેર કર્યો હતો. જેને લઈ કોંગ્રેસ સહિત કેટલાય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે પહેલા કરેલા વાયદા વિશે વાત નથી કરી. લોકોને 15 લાખ રૂપિયા આપવાના વચનનું શું થયું. કોંગ્રેસના આ આરોપો પર ગૃહમંત્રી રાજનાથ સિંહનું નિવેદન આપ્યું છે.

ક્યારેય નથી કહ્યું કે 15 લાખ આપશું
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલ સાક્ષાત્કારમાં રાજનાથ સિંહે કહ્યું કે ભાજપે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ક્યારેય વાયદો નથી કર્યો કે લોકોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. રાજનાથ સિંહે કહ્યું, 'બિલકુલ નથી કહ્યું કે 15 લાખ રૂપિયા લોકોના બેંક ખાતામાં જમા કરાવશું, અમે કહ્યું હતું કે કાળાંધન વિરુદ્ધ કાર્યવાહી કરશું અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી સરકારે જ એસઆઈટીની રચના કરી.'

તપાસ એજન્સીઓની રેડ પર શું બોલ્યા રાજનાથ સિંહ
બીજી બાજુ ઈડી અને આવકવેરા વિભાગે પાડેલા દરોડાને લઈ વિપક્ષ પરના આરોપ પર રાજનાથ સિંહે કહ્યું કે તપાસ એજન્સીઓ જે દરોડા પાડી રહી છે તે સ્વતંત્ર છે. આચાર સંહિતા તેમના પર લાગૂ નથી થતી. તેઓ પોતાની સૂચનાને આધારે કાર્યવાહી કરે છે. અમે એમને કઈ રીતે રોકી શકીએ છીએ. માટે સરકારને દોષી ઠહેરાવવી યોગ્ય નથી.

બાલાકોટ એર સ્ટ્રાઈક પર રાજનાથ સિંહે શું કહ્યું?
તેમણે કહ્યું કે ભારતનો ઈરાદો નાગરિકોને નુકસાન પહોંચાડવો નહોતો. આ ઓપરેશનમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. વાયુસેનાના ફાઈટર વિમાનોએ આતંકી ઠેકાણા પર બોમ્બ દાગ્યા હતા. આ એર સ્ટ્રાઈક પર થઈ રહી રાજનીતિ પર રાજનાથ સિંહે કહ્યું કે લોકતંત્રમાં સરકારને સવાલ પૂછવા અને સબૂત માંગવામાં કોઈ નુકસાન નથી પરંતુ સુરક્ષા બળો પાસેથી સબૂત માંગવું યોગ્ય નથી. લિંચિંગના મામલામાં રાજનાથ સિંહે કહ્યું કે ગૃહ મંત્રી તરીકે હું આશ્વસ્ત કરવા માંગું છું, કોઈએ પણ ભારતમાં અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર નથી. હિંસામાં લિપ્ત લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
