કર્ણાટકઃ સ્પીકર રાજીનામું સ્વીકારે કે નહિ એ અમે નક્કી ન કરી શકીએ- CJI
કર્ણાટકઃ સ્પીકર રાજીનામું સ્વીકારે કે નહિ એ અમે નક્કી ન કરી શકીએ- CJI
નવી દિલ્હીઃ કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે એ નક્કી નહિ કરીએ કે સ્પીકરે રાજીનામું સ્વીકારવું જોઈએ કે નહિ, અમે માત્ર એમ જોઈ શકીએ કે સંવૈધાનિક રૂપે સ્પીકર પહેલા કયા મુદ્દા પર ફેસલો લઈ શકે છે.

સીજેઆઈએ બાગી ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે ધારાસભ્યોને અયોગ્ય ઠહેરાવવા માટે કયો આધાર આપવામાં આવ્યો. જેના પર રોહતગીએ જવાબ આપ્યો કે જ્યારે તમારી પાર્ટીના ધારાસભ્ય તમારી સાથે નથી, તો બીજી પાર્ટી સાથે ઉભા થઈ જાય છે તો સમજવું જોઈએ કે હવે તેઓ તમારી સાથે નથી. પરંતુ સ્પીકર સરખી રીતે રાજીનામું મંજૂર કરવાને બદલે અયોગ્ય ઠહેરાવવા માંગે છે. રોહતગીએ કહ્યું કે સ્પીકર આટલા દિવસો સુધી રાજીનામું રોકીને ન રાખી શકે, તેમણે જલદી ફેસલો લેવો પડશે.
સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ બાગી ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીને રાજીનામાની તારીખ પૂછી. જેનાપર રોહતગીએ કહ્યું કે 6 જુલાઈએ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, માત્ર 5 અન્ય ધારાસભ્યોએ રાજીનામું આપ્યું પરંતુ સ્પીકર આને મંજૂર નથી કરી રહ્યા. અયોગ્યતા કાર્યવાહી અનુચિત છે. રોહતગીએ કહ્યું કે, ઉમેશ જાદવે રાજીનામું આપી દીધું હતું અને તેમનું રાજીનામું પણ મંજૂર થયું હતું. ધારાસભ્યો તરફથી બોલતા રોહતગીએ કહ્યું કે હું ધારાસભ્ય બની રહેવા માંગું છું. આના માટે કોઈ મને મજબૂર ન કરી શકે, જેથી મારું રાજીનામું સ્વીકાર કરી લેવું જોઈએ.
રોહતગીએ કોર્ટમાં કહ્યું કે 10 જુલાઈએ સ્પીકરે ધારાસભ્યોને મળવા માટે બોલાવ્યા હતા, 11 જુલાઈએ સ્પીકર સાથે મીટિંગ બાદ તેમણે રાજીનામું સોંપી દીધું હતું. પરંતુ તેમનું રાજીનામું સ્વીકારાયું નહોતું. આ તેમના રાજીનામાને રોકવાની કોશિશ છે, સ્પીકર એક જ સમયે રાજીનામું અને અયોગ્યતા બંને મુદ્દા પર નિર્ણય લેવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
