આવતી વખતે વિપક્ષી નેતાઓને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, ગણતરી કરવા નીચે ઉતારી દો
આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.
બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યા અંગે રાજકીય ગતિરોધ બનેલો છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી દળોના નેતાઓએ સરકારને પૂછ્યુ છે કે 250-300 કે પછી 350ના આંકડા ક્યાંથી આવ્યા? વિપક્ષી દળોનું કહેવુ છે કે સરકાર કેમ નથી જણાવતી કે કેટલા આતંકી તે એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા. વળી, આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

‘જ્યારે બોમ્બ નીચે પડે તો ત્યાંથી જોઈ લે ટાર્ગેટ'
જનરલ વી કે સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યુ, ‘આવતી વખતે જ્યારે ભારત કંઈ કરે તો મને લાગે છે કે વિપક્ષી જે સવાલ ઉઠાવે છે, તેમને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, જ્યારે બોમ્બ પડે ત્યારે ત્યાંથી જોઈ લે ટાર્ગેટ. પછી તેમને ત્યાં જ ઉતારી દે, પછી તે ગણી લે અને પાછા આવી જાય.' ‘મચ્છરોની ગણતરી...' વાળા ટ્વિટ પર તેમણે કહ્યુ કે 1000 કિલોના બોમ્બ વિસ્ફોટ બાદ શું લોકો નહિ મરી જાય? જો મરી ગયા, તો તમે માર્યા ગયેલા લોકોની સંખ્યાનું અનુમાન લગાવો છો. હું નથી જાણતો કે કોણ આને ગણવા ઈચ્છશેય આ દૂર્ભાગ્યની વાત છે.
|
‘માર્યા ગયેલા લોકો વિશે અનુમાન લગાવી શકીએ છીએ, કોણ ગણતરી કરવા ઈચ્છે છે'
આ પહેલા હરિયાણાના મંત્રી અને ભાજપ નેતા અનિલ વિજે ટ્વિટ કરીને વિરોધી નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. વિજે ટ્વિટ કર્યુ હતુ, ‘આવતી વખતે ભારત જ્યારે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ પર બોમ્બ ફેંકે તો મહાગઠબંધનના કોઈ નેતાને નીચે ઉભા રાખી દેવાના જેથી તે જાતે લાશો ગણી શકે.'

એર સ્ટ્રાઈક બાદ ચાલુ છે રાજકારણ
તમને જણાવી દઈએ કે સરકાર તરફથી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓનો હજુ સુધી કોઈ અધિકૃત આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે એક રેલીને સંબોધિત કરતા એ દાવો કર્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. અમિત શાહના આ નિવેદન બાદ હવે ઘણા વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકારે કોઈ આંકડો નથી આપ્યો અને એરફોર્સે કંઈ જણાવ્યુ નથી તો અમિત શાહને કેવી રીતે ખબર પડી કે કેટલા આતંકી માર્યા ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
