પૂર્વ સેનાધ્યક્ષ વી કે સિંહે HALની ક્ષમતા પર ઉઠાવ્યા મોટા સવાલ
પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે.
દેશભરમાં રાફેલ મુદ્દા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષ સતત મોદી સરકારને આ ડીલ માટે ઘેરી રહી છે. વળી, પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે. વી કે સિંહે એચએએલ પર સવાલ ઉઠાવ્યા છે કે શું તે સારી ગુણવત્તાના વિમાન બનાવી શકે છે. તેમણે કહ્યુ કે એચએએલ પોતાના ઓપરેશન્સને નક્કી સમયે પૂરા નથી કરી શકતા, વળી, ઘણા નવા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ લાંબા સમયથી લટકી રહ્યા છે અને પૂરા નથી થઈ શક્યા.

એચએએલની હાલત જુઓ
વી કે સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર રાફોલ ડીલ અંગે નિશાન સાધી રહ્યા છે. રાહુલ કગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે રાફેલ એરક્રાફ્ટને વધુ કિંમતમાં ખરીદ્યુ છે. વી કે સિંહે કહ્યુ કે તમે એચએએલની હાલત જુઓ, એ કહેતા દુઃખ થાય છે પરંતુ એચએએલમાં ઘણા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ સમયથી અટકેલા પડ્યા છે. એરક્રાફ્ટના ભાગો રનવે પર પડી રહ્યા છે, શું આ છે એચએએલની ક્ષમતા. વળી, બીજી તરફ કહેવામાં આવી રહ્યુ છે કે એચએલને રાફેલની ડીલ કેમ નથી મળી રહી.

રાહુલ પર સાધ્યુ નિશાન
જે રીતે બેંગલુરુમાં મિરાજ 2000 ટ્રેનર એરક્રાફ્ટમાં બે પાયલટના મોત થયા તેના પર પણ વી કે સિંહે એચએએલ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે શું એચએએલ સારા એરક્રાફ્ટ બનાવી શકે છે. આ પહેલા વી કે સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી અને તેમના સહયોગી ઉદ્યોગપતિઓએ દશકો સુધી રક્ષા સોદામાં કમિશન મેળવ્ય્ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીની મુશ્કેલી એ છે કે ભલે તે બોફોર્સ હોય કે ટાટા હોય કે ચૉપર હોય તેમના સાથીઓને કમિશન મળે. પરંતુ હવે વારંવાર આરોપ લગાવવાથી રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ નથી થતો.

મુદ્દાનું રાજકીયકરણ ના કરો
વી કે સિંહે કહ્યુ કે હું અપીલ કરુ છુ કે કોંગ્રેસ રાફેલ મુદ્દાનું રાજકીયકરણ ના કરે. આ ડીલથી એરફોર્સને ઘણો ફાયદો થશે. જો આપણે સતત એકબીજાના પગ ખેંચીશુ તો આપણે દેશની સેનાને ઘણુ નુકશાન પહોંચાડીશુ. તમને જણાવી દઈએ કે બુધવારે સંસદમાં રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યુ કે રાફેલ ડીલને ગઈ ડીલની તુલનામાં ઓછી કિંમત પર ખરીદવામાં આવ્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
