હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન થઈ ગયુ છે. વીરભદ્ર સિંહ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા ત્યારબાદ આજે તેમનુ 87 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ. શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર જનક રાજે વીરભદ્ર સિંહના નિધનની માહિતી આપીને કહ્યુ કે વીરભદ્ર સિંહ લાંબા સમયથી બીમાર હતા જેના કારણે આજે સવારે તેમનુ નિધન થઈ ગયુ.

વીરભદ્ર સિંહ 6 વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત ખરાબ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટર જનક રાજે જણાવ્યુ કે સોમવારની રાતે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો જે બાદ તેમને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા અને અહીં તેમને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે વીરભદ્ર સિંહની સ્થિતિ નાજુક જરૂર હતી પરંતુ સ્થિર હતી પરંતુ આજે સવારે તેમનુ નિધન થઈ ગયુ. ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં વીરભદ્ર સિંહનો 23 એપ્રિલથી ઈલાજ ચાલી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે વીરભદ્ર સિંહ 13 એપ્રિલે કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા ત્યારબાદ તેમનો મોહાલી સ્થિત મેક્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જો કે 23 એપ્રિલે તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા પરંતુ શિમલા પહોંચવા પર તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ ફરીથી તેમને ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં ભરતી કરવામાં આવ્યા હતા. વીરભદ્ર સિંહ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા. તેઓ 9 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પાંચ વાર સાંસદ અને છ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તે સોલન જિલ્લાની આર્કી વિધાનસભા સીટથી ધારાસભ્ય હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
