જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું 88 ઉંમરે નિધન
ઠુમરી ક્વીન નામે જાણીતા ગિરિજા દેવીનું 88 વર્ષની ઉંમરે કોલકત્તામાં નિધન થયું છે. આ સાથે જ સંગીત જગતે તેની જાણીતી ગાયિકા ગુમાવી છે. જાણો કોણ હતા ગિરિજા દેવી અહીં.
કોલકત્તામાં હદય રોગના હુમલાના કારણે જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું નિધન થયું છે. મંગળવારે મોડી રાતે 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા છે. ઠુમરી ક્વીનના હુલામણા નામે ગિરિજા દેવીને ઓળખવામાં આવતા હતા. તેમની મોત કોલકત્તાના બિરલા નર્સિંગ હોમ ખાતે રાતે લગભગ 8.55 પર થઇ હતી. તમને જણાવી દઇએ કે ઠુમરી ગાયિકા ગિરિજા દેવી ખાલી ભારતમાં જ વિશ્વભરમાં પ્રખ્યાત હતી. તેમને ઠુમલીની રાણી કહેવામાં આવતું હતું. અને તે જ્યારે ગાતી ત્યારે સાક્ષાતમાં સરસ્વતીનું વરદાન તેમને મળ્યું હોય તેટલો અદ્ધભૂત અવાજ તેમનો લાગતો હતો.

ગિરિજા દેવીએ વર્ષ 1949માં ઇલ્હાબાદથી ઓલ ઇન્ડિયા રેડિયોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ગિરિજા દેવીને પદ્મ ભૂષણના સન્માનથી પણ વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સંગીત નાટક એકેડમી એવોર્ડ અને સંગીત નાટક એકેડમી ફેલોશિપ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે તેમના નિધનથી સંગીત જગતે તેની એક અદ્ઘભૂત ગાયિકા ગુમાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
