વારાણસી: બાબા જય ગુરુદેવના કાર્યક્રમમાં નાસભાગ, 18 ના મોત
બાબા જય ગુરુદેવના એક કાર્યક્રમમાં નાસભાગ મચી જતા 18 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

ચંદોલી-વારાણસી બૉર્ડર પર બની ઘટના
વારાણસીમાં બાબા જય ગુરુદેવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી જતા 18 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલોમાં 5 લોકોની હાલત ગંભીર છે. વારાણસી-ચંદોલી બૉર્ડર પાસે સ્થિત રાજઘાટ પુલ પર આ નાસભાગ મચી ગઇ હતી. આ તરફ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વળતરની રકમ જાહેર કરી છે.
સીએમ અખિલેશ યાદવે કરી વળતરની જાહેરાત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે મૃતકના પરિવારજનોને બે-બે લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી છે. આ તરફ એડીજી લખનૌ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાસનની બેદરકારી અને આટલા મોટા કાર્યક્રમમાં પૂરતી તૈયારીઓના અભાવના કારણે નાસભાગ મચી ગઇ છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે એ સમગ્ર મામલે રાજ્ય સરકારને ઘેરી લીધી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રનાથ પાંડે એ નાસભાગ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે આ મામલે દોષિત અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
