ઉત્તરાખંડ : કેદારનાથ મંદિરમાં થોડા દિવસોમાં પૂજા શરૂ કરાશે

કેદારનાથ મંદિરમાં પૂજા ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય શુક્રવારે યોજાયેલી મંદિર સમિતીના સભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અંગે સમિતીના ચેરમેન ગણેશ ગોડિયાલે જણાવ્યું કે જુલાઇ મહિનાના મધ્યમાં જ મંદિરમાં સંપૂર્ણ શાસ્ત્રોક નિયમો અને રીતરીવાજો અનુસાર પૂજા વિધિ શરૂ કરવામાં આવશે.
ગોડિયાલે એમ પણ જણાવ્યું કે હાલમાં કેદારનાથ મંદિરથી 50 કિલોમીટર દૂર આવેલા ઉખીમઠમાં, જ્યાં શિયાળામાં કેદારનાથ ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યાં રોજબરોજની પૂજા કરવામાં આવી રહી છે. કેદારનાથ મૂળ મંદિરના શુદ્ધિકરણનું કામ શરૂ થઇ ગયું છે. આવનારા થોડા દિવસોમાં પૂજા વિધિનો પણ આરંભ કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે કેદારનાથ મંદિર પાસે લાશોની ભરમાર લાગી હતી. આ કારણે મંદિર પરિસરને સાફ કરવાનું ખૂબ જરૂરી હતું. અમારા સેવક મંદિર અને તેની આસપાસના વિસ્તારને સાફ કરવામાં જોડાયેલા છે. જો કે વરસાદને કારણે સમગ્ર કાર્ય ધીમી ગતિથી ચાલી રહ્યું છે. આગામી સાત આઠ દિવસમાં મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું થઇ જશે.
બીજી તરફ ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઉત્તરાખંડ આફતમાં ગુમ થયેલા લોકો જો 15 જુલાઇ સુધીમાં મળશે નહીં તો તેમને મૃત સમજી લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
