UP Assembly Election 2022 : મોદી-યોગી વચ્ચે સંઘર્ષ થઈ શકે છે, હું મારા ભાઈ માટે મારો જીવ પણ આપી શકું છું
પંજાબના માલવામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક સંબોધન દરમિયાન કહ્યું હતું કે, "હું મારા ભાઈ રાહુલ ગાંધી માટે મારા જીવનનું પણ બલિદાન આપી શકું છું અને તેમને પણ મારા માટે એમ કરી જ શકે છે.
Uttar Pradesh Assembly Election 2022 : પંજાબના માલવામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક સંબોધન દરમિયાન કહ્યું હતું કે, "હું મારા ભાઈ રાહુલ ગાંધી માટે મારા જીવનનું પણ બલિદાન આપી શકું છું અને તેમને પણ મારા માટે એમ કરી જ શકે છે. સંઘર્ષ કે ટકરાવ ભાજપમાં છે, કોંગ્રેસમાં નહીં. યોગીજી, મોદીજી અને અમિત શાહ વચ્ચે હિતોનો સંઘર્ષ હોય શકે છે.

હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપી દેશે
વાસ્તવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટમાં કહ્યું હતું કે ભાઈ-બહેન (પ્રિયંકા-રાહુલ) વચ્ચેના પરસ્પર વિવાદ અને વર્ચસ્વને કારણે કોંગ્રેસ ડૂબી જશે.
આ ટ્વીટના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે, "હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપી દેશે, તો પછી વિવાદ શું છે?
યોગીજીના મનમાં વિવાદ છે. એવું લાગે છે કે, મોદીજી આ વાત અમિત શાહ અને યોગીજી વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે કહી રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું
આ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પંજાબના કોટકપુરામાં 'નવી સોચ નવા પંજાબ' રેલીને સંબોધિત કરતા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર નિશાનસાધ્યું હતું.
પ્રિયંકાએ કહ્યું કે, અમારી અહીં 5 વર્ષથી સરકાર છે. એ વાત સાચી છે કે, તે સરકારમાં કેટલીક ખામીઓ હતી. ઘણા લોકો રસ્તા ભૂલી ગયા. જે બાદપંજાબમાંથી સરકાર ચાલવાનું બંધ થઇ ગયું હતું. જે બાદ પંજાબમાં સરકાર દિલ્હીથી ચાલવા લાગી અને દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની નહીં પણ ભાજપની સરકાર ચાલવાલાગી હતી.

પ્રિયંકાએ AAPને RSSની પાર્ટી કહી
પ્રિયંકા ગાંધીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી RSSમાંથી ઉભરી આવી છે.
AAP પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'આમ આદમી પાર્ટી RSSમાંથી બહાર આવેલી પાર્ટી છે. AAPએ દિલ્હીમાં શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓના નામે કંઈ કર્યું નથી.રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વિશે સત્ય જાણવું મહત્વપૂર્ણ છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
