NDA છોડનાની અટકળો વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણા
કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણા
નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી જેવી રીતે ઉપેન્દ્ર કુશવાહાની ભાજપ સાથે બબાલ ચાલી રહી છે તે બાદ માનવામાં આવી રહ્યું હતું કે કુશવાહા ભાજપ-એનડીએથી અલગ થઈ શકે છે. પરંતુ આ વચ્ચે કુશવાહાને એનડીએની યોજાનાર બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખુદ કુશવાહાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમને એડીએની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે કુશવાહા આ બેઠકમાં સામેલ નહિ થાય. જણાવી દઈએ કે આજે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. શિયાળુ સત્ર પહેલા થનાર આ બેઠક અતિ મહત્વની છે.

આજે થઈ શકે મોટી ઘોષણા
માનવામાં આવી રહ્યું છે કે કુશવાહા જલદી જ એનડીએથી અલગ થવાની ઘોષણા કરી શકે છે અને તેઓ પોતાનો ફેસલો લેતા પહેલા છેલ્લી વાર તેઓ પોતાનું પુરું જોર લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે. કુશવાહાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે કુશવાહા દિલ્હીમાં રહેશે, પરંતુ તેઓ બેઠકમાં ભાગ નહિ લે.

પાર્ટીની અંદર ટકરાવ
જહાનાબાદથી બાગી આરએલએસપી સાંસદ અરુણ કુમારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપને સમર્થન કરશે. તેમણે કહ્યું કે કુશવાહા સાથે મેં મારો રસ્તો અલગ કરી લીધો છે, વધુમાં કહ્યું કે 'મને એનડીએ તરફથી બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ એનડીએ છોડવાની મારી કોઈ યોજના નથી.' એમણે કહ્યું કે મને ખબર નથી કે આખરે ભાજપ નીતિશ કુમારનો ગુલામ કેમ બની રહ્યો છે, હું આરએલએસપીના સન્માનને બચાવવાની પોતાની લડાઈ ચાલુ રાખીશ જેથી કરીને તેઓ આ વખતે વધુ સીટ જીતી શકે.

તમામ નેતા ભાજપના સંપર્કમાં
જ્યારે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના એનડીએ છોડવાના ફેસલાનો તેમની પાર્ટીના સાંસદ રામ કુમાર શર્માએ પણ વિરોધ કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેઓ કુશવાહાના દરેક ફેસલામાં તેમની સાથે રહેશે. સૂત્રો મુજબ તેઓ ભાજપના સંપર્કમાં છે. જ્યારે પાર્ટીના બંને ધારાસભ્ય લલ્લન પાસવાન અને સુધાંશુ શેખર પણ જદયૂના સંપર્કમાં છે. ખુદ કુશવાહા એલજેડી નેતા શરદ યાદવના સંપર્કમાં છે અને પાર્ટીના વિલય પર ચર્ચા કરી રહ્યા છે. જણાવી દઈએ કે એનડીએની આજે મળનાર બેઠક સાંજે 4 વાગ્યે યોજાનાર છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે આ બેઠકમાં જદયૂ સામેલ થશે કે નહિ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
