UP News : માફિયા અતીકનો કબ્જો હતો ત્યાં CM યોગી સરકાર બનાવ્યા ફ્લેટ, હવે ગરીબોને સોંપશે
UP News : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવેલી જમીન પર યુપી સરકારે ગરીબો માટે મકાનો બનાવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લાભાર્થીઓને આ મકાનો ફાળવવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી પ્રયાગરાજમાં એક કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ફ્લેટની ચાવી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અતીકથી મુક્ત કરાવવામાં આવેલી જમીન પર પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 76 ફ્લેટ બનાવ્યા છે.

સપ્ટેમ્બર 2020માં પ્રયાગરાજના લુકરગંજમાં માફિયા અતીક અહેમદના કબ્જામાંથી 15,000 ચોરસ ફૂટ જમીન મુક્ત કરવામાં આવી હતી. આ જ જમીન પર 4 માળના ટાવરમાં 76 ફ્લેટ પૂરા થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાર માળની ઈમારતમાં તૈયાર કરવામાં આવેલા ફ્લેટમાં એક ફ્લેટની કિંમત 7.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાંથી લાભાર્થીએ માત્ર 3.5 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. બાકીની રકમ લાભાર્થીને સરકાર તરફથી સબસિડીના લાભના રૂપમાં આપવામાં આવશે.
ફ્લેટ મેળવવા માટે 6030 લોકોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી 1600 પાત્ર અરજદારો મળી આવ્યા હતા. તેમાંથી લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરવામાં આવેલ લોકોને આવાસ મળશે.
આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 11 કલાકે પ્રયાગરાજના લુકરગંજમાં જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન તેમના ફ્લેટની ચાવીઓ લાભાર્થીઓને સોંપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
