પુત્રની હાર પર શું બોલ્યા મુલાયમ સિંહ યાદવ?
આજકાલ 'હાનિકારક બાપુ'ના નામથી ઓળખાતા મુલાયમ સિંહ યાદવે કહ્યું, સપાની હારનું કારણ છે કોંગ્રેસ સાથેનું ગઠબંધન.
જનતાએ ઉત્તર પ્રદેશમાં શનિવારે પોતાનો આખરી નિર્ણય લઇ લીધો છે, લોકતંત્રની લડાઇમાં જનતાએ પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરી છેલ્લા પાંચ વર્ષોથી ચાલતી સાયકલ પર આખરે રોક લગાવી છે.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં સમાજવાદી પાર્ટી ની હારનું કારણ છે, અખિલેશે પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલ યાદવની કરેલી અવગણના. જો કે, મુલાયમ સિંહ યાદવ નું કહેવું કંઇક અલગ છે. તેમણે કોંગ્રેસ સાથેના ગઠબંધનને આ માટે જવાબદાર ગણાવ્યું છે.

અખિલેશનો અહંકાર
સપાની હારનું એક કારણ અખિલેશ યાદવનો અહંકાર પણ મનાય છે. ચૂંટણીમા સપાના હાલ બેહાલ કરવા બદલ કાકા શિવપાલ યાદવ અને અમર સિંહ અખિલેશ પર દોષનો ટોપલો ઊંધો વાળી ચૂક્યાં છે. તેમણે આ માટે કોંગ્રેસ સાથેના અખિલેશના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે.

'હાનિકારક બાપુ'
એવામાં આજકાલ 'હાનિકારક બાપુ'ના નામથી ઓળખાતા મુલાયમ સિંહ યાદવે પણ કહ્યું કે, સપાની હારનું કારણ કોંગ્રેસ સાથેનું ગઠબંધન છે. નવભારત ટાઇમ્સના અહેવાલો અનુસાર મુલાયમે કહ્યું કે, જે કોંગ્રેસને યુપીની જનતા પહેલેથી નાપસંદ કરતી હતી, જે કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વ માટે જ લડત આપી રહી છે, તેનો સાથ જનતાને કઇ રીતે પસંદ પડી શકે?

સાર્વજનિક મંચ પર કર્યો હતો વિરોધ
મુલાયમે આગળ કહ્યું કે, મેં આ વાતનો વિરોધ કર્યો હતો, મેં તો સાર્વજનિક મંચ પર કહ્યું હતું કે ગઠબંધનથી પાર્ટીને નુકસાન થશે, પરંતુ અખિલેશે મારી કોઇ વાત ન સાંભળી અને હવે પરિણામ સૌની સામે છે.

તો સપાને પૂર્ણ બહુમત મળ્યો હોત
સપા નેતાએ સાફ કહ્યું કે, જો આ ગઠબંધન ન થયું હોત તો સમાજવાદીની સરકાર બની હોત. જો કોઇ કહેતું હોય કે મેં આ ગઠબંધનનું સમર્થન કર્યું છે તો તે ખોટા છે. મેં સાર્વજનિક રૂપે આ ગઠબંધનનો વિરોધ કર્યો હતો. જરૂર શું હતી? વર્ષ 2012માં અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી.

અહીં વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
