અજિત ડોવાલની જાંચ કરો, પુલવામાં હુમલાનું સત્ય સામે આવશે
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે. સતત આ મુદ્દે ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને "રાજનીતિક શિકાર" ગણાવતા મોટું નિવેદન આપ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તેમને કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે"
આ પણ વાંચો: પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું
કોંગ્રેસ પાર્ટી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સહમતી વ્યક્ત કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, "પુલવામાં હુમલાના સમયે પ્રધાનમંત્રી મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરંતુ આતંકી હુમલાની ખબર આવ્યા પછી પણ તેમનું શૂટિંગ ચાલુ રહ્યું"

અજિત ડોવાલ અંગે મોટી વાત
રાજ ઠાકરેએ આ દરમિયાન મોટો દાવો કરતા કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે". રાજ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ ઠાકરે પોતાના આખા કરિયરમાં મિમિક્રી કરતા આવ્યા છે. હવે અજિત ડોવાલ પર આરોપ લગાવીને તેઓ રાહુલ ગાંધીનું અનુકરણ કરી રહ્યા છે.

ભાજપે રાજ ઠાકરે પર પ્રહાર કર્યા
રાજ ઠાકરેએ પુલવામાં હુમલાના દિવસે પ્રધાનમંત્રી મોદીનું સમર્થન કરતા કહ્યું હતું કે આપણે બધા જ રાજનૈતિક મતભેદોને દૂર કરતા સરકાર સાથે ઉભા રહેવું જોઈએ. અમારી પાર્ટી જવાનોની શહાદત પર શોક વ્યક્ત કરે છે અને દુઃખની સ્થિતિમાં તેમના પરિવાર સાથે ઉભી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
