સરબજીતના મૃત્યુ અંગેનું સત્ય બહાર આવવું જોઇએ : નરેન્દ્ર મોદી

લાહોરની હોસ્પિટલમાં જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહેલા સરબજીતના પ્રાણ છૂટ્યા ત્યાર બાદના કલાકમાં ટ્વિટર પર કરેલા ટ્વિટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે "સરબજીત સિંહના મુદ્દે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે." ઉલ્લેખનીય છે કે જેલમાં ફાંસીની સજા પામેલા બે કેદીઓ દ્વારા સરબજીત સિંહ પર ઘાતક હુમલો કરવામાં આવ્યા બાદ 26 એપ્રિલ, 2013ના રોજ તેને પાકિસ્તાનના લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પહેલા મોદીએ લખ્યું હતું કે "સબરજીત સિંહનું મૃત્યુ અત્યંત ખેદજનક ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે. ભગવાન તેના પરિવારને આ દુ:ખ ઝેલવાની શક્તિ આપે." નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે "કેન્દ્ર સરકાર પાકિસ્તાનના અમાનવીય વ્યવહારનો આકરો જવાબ આપવામાં નિષ્ફળ ગઇ છે. તાજેતરમાં ભારતીય સૈન્યના જવાનોનું માથું ધડથી અલગ કરી દેવાની ઘટના અને સરબજીત સિંહનો કિસ્સો તેના તાજા ઉદાહરણ છે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના જવાનોએ 8 જાન્યુઆરીના રોજ ભારતના જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને બે ભારતીય જવાનોની હત્યા કરી હતી. તેમાંથી એકનું માથું કાપીને તેઓ લઇ ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
