બિપ્લવ કુમારના જન્મસ્થળ અંગે વિકિપીડિયામાં 37 વાર ફેરફાર
અસમમાં એનઆરીસી ડ્રાફ્ટ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ શમ્યો નથી ત્યાં ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબના જન્મસ્થળ અંગે નવો વિવાદ સામે આવ્યો છે.
અસમમાં એનઆરીસી ડ્રાફ્ટ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ શમ્યો નથી ત્યાં ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબના જન્મસ્થળ અંગે નવો વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં બિપ્લવ દેબના વિકિપીડિયા પેજને ગુરુવારથી શનિવાર વચ્ચે 37 વાર એડિટ કરવામાં આવ્યુ. ટીઓઆઈના જણાવ્યા અનુસાર તેમના પ્રોફાઈલમાં તેમનું જન્મસ્થળ બાંગ્લાદેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. એટલુ જ નહિ વિકિપીડિયા પ્રોફાઈલ પર તેમનું જન્મસ્થળ ત્રિપુરાના ગોમતી જિલ્લાથી બદલીને વારંવાર બાંગ્લાદેશનું ચાંદપુર કરવામાં આવી રહ્યુ હતુ.

વિકિપીડિયા પ્રોફાઈલમાં ફેરફારથી થયો હોબાળો
ટીઓઆઈમાં છપાયેલ રિપોર્ટ અનુસાર ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબના વિકિપીડિયા પ્રોફાઈલમાં સૌથી પહેલા ફેરફાર ગુરુવારે સવારે 10.38 કલાકે કરવામાં આવ્યો જેમાં બિપ્લવ દેબનું જન્મસ્થળ બાંગ્લાદેશના ચાંદપુરમા કછુઆ ઉપજિલ્લા સ્થિત રાજધર નગર કરી દેવામાં આવ્યુ. ત્યારબાદ બપોરે 1.11 કલાકે તેમનું જન્મસ્થળ રાજધર નગર ગામથી બદલીને ત્રિપુરાનો ગોમતી જિલ્લો કરી દેવામાં આવ્યુ. દેબના વિકિપીડિયા પ્રોફાઈલમાં બપોરે 2.37 કલાકે ફરીથી મોટો ફેરફાર કરવામાં આવ્યો. આ વખતે વિકિપીડિયાના 'Early Life' સેક્શનમાં ફેરફાર કરીને તેમનું જન્મસ્થળ બાંગ્લાદેશ જ બતાવવામાં આવ્યુ.

બાંગ્લાદેશનું ચાંદપુર બતાવવામાં આવી રહ્યુ હતુ જન્મસ્થળ
ત્યારબાદ ગુરુવારે વિકિપીડિયા પેજ પર ફેરફાર ચાલુ રહ્યો. આ ફેરફાર શુક્રવાર અને શનિવારે પણ ચાલુ રહ્યો. છેવટે શનિવારે રાતે તેમના પ્રોફાઈલ પર છેલ્લો ફેરફાર થયો જ્યારે તેમનું જન્મસ્થળ ત્રિપુરા લખવામાં આવ્યુ. આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબના મીડિયા સલાહકાર સંજય મિશ્રા સામે આવ્યા અને સમગ્ર મામલાને સ્પષ્ટ કર્યો.

શું બોલ્યા ત્રિપુરાના સીએમના મીડિયા સલાહકાર
સંજય મિશ્રાએ જણાવ્યુ કે વિકિપીડિયા પ્રોફાઈલમાં ફેરબદલની જાણકારી અમને ગુરુવારે જ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી બિપ્લવ દેબના પિતા હરધને નાગરિકતા અધિનિયન 1955 હેઠળ 27 જૂન, 1967 ના રોજ પોતાને ત્રિપુરાના ઉદયપુર નિવાસી તરીકે રજિસ્ટર કર્યા હતા. 25 નવેમ્બર, 1971 ના રોજ તત્કાલિન ઉદયપુર અને વર્તમાન ગોમતી જિલ્લામાં બિપ્લવનો જન્મ થયો હતો. તેમણે આગળ કહ્યુ કે અમને લાગે છે કે વિકિપીડિયા અને આવી બીજી સાઈટ્સનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. સંજય મિશ્રાએ આગળ કહ્યુ કે આ પ્રકારના પગલાં એ લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે જે વિકાસની રાજનીતિ પર વિશ્વાસ નથી કરતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
