UP અને હરિયાણા તરફથી દિલ્હીને યમુનામાં ઝેરી ફિણની ભેટ
દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, યમુનામાં છઠ પૂજાની તસવીરો સામે આવ્યા બાદ ઓખલા બેરેજમાં યમુનાનું પાણી ફીણયુક્ત છે. આ વિસ્તાર યુપી સરકારના સિંચાઈ વિભાગ હેઠળ આવે છે.
નવી દિલ્હ : દિલ્હીમાં યમુનામાં જોવા મળતા ઝેરી ફીણ માટે આમ આદમી પાર્ટીએ પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાને જવાબદાર ઠેરવ્યા છે.
દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, યમુનામાં છઠ પૂજાની તસવીરો સામે આવ્યા બાદ ઓખલા બેરેજમાં યમુનાનું પાણી ફીણયુક્ત છે. આ વિસ્તાર યુપી સરકારના સિંચાઈ વિભાગ હેઠળ આવે છે, તેની જવાબદારી યુપી સરકારની છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તે સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. યમુનાનું આ પ્રદૂષિત પાણી દિલ્હીનું નથી. તે યુપી અને હરિયાણા સરકાર દ્વારા દિલ્હીને ભેટમાં આપવામાં આવી છે.

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હરિયાણામાંથી લગભગ 105 MGD વેસ્ટ વોટર યમુનામાં અને 50 MGD ગંગાનું પાણી યુપીથી ઓખલા બેરેજમાં આવે છે. પાણીમાં ઔદ્યોગિક કચરો, ડીટરજન્ટ અને એમોનિયા હોય છે, જે ફીણ બનાવે છે. આ માટે યુપી અને હરિયાણાની ભાજપ સરકારોને જ જવાબદાર ઠેરવવી જોઈએ. વર્ષો સુધી અમે યુપી સરકારને સિંચાઈ ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યા છે, પરંતુ ભાજપ સરકારોએ કોઈ ધ્યાન આપ્યું નથી.
Yamuna में फैले झाग का सच‼️
— AAP (@AamAadmiParty) November 8, 2021
जहां केजरीवाल सरकार यमुना को साफ रखने की पूरी कोशिश कर रही है,
वहीं उत्तर प्रदेश और हरियाणा सरकारें करीब 150 MGD गंदा पानी यमुना में छोड़ रही हैं! pic.twitter.com/y8f89O3ikR
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, દિલ્હી જલ બોર્ડ પોતની STPની ક્ષમતા વધારવા માટે સતત કામ કરી રહ્યું છે, જેથી ટ્રીટમેન્ટ ન કરાયેલું ગંદુ પાણી યમુનામાં છોડવામાં ન આવે પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોનું વલણ નિરાશાજનક છે.
सोनिया विहार में पानी साफ़ है और कालिन्दी कुंज में ज़हरीला तो इसका मतलब साफ़ है कि दिल्ली की aap सरकार दोषी है .. अब मैं सोनिया विहार पहुँच रहा हूँ सच्चाई दिखाने pic.twitter.com/fOpNmToEUd
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) November 8, 2021
ભાજપ AAPને જવાબદાર ગણે છે
ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના કાલિંદી કુંજમાં યમુનાના કિનારે ઝેરીલા ફીણની વચ્ચે છઠ કરી રહેલી મહિલાઓની તસવીરો શેર કરીને AAP સરકારને ઘેરી છે. તિવારીએ જણાવ્યું હતું કે, યમુના નદીની આજની તસવીરો ખૂબ જ ચિંતાજનક છે અને આ તસવીરો જણાવે છે કે, શા માટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુના કિનારે પૂર્વાંચલીઓના આસ્થાના તહેવાર છઠ પૂજાની ઉજવણી અટકાવી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
