રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં ન પહોંચ્યા આ દિગ્ગજ નેતા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા. આ ઈફ્તાર પાર્ટી માટે કોંગ્રેસે 18 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યુ હતુ. આમાં ઘણા હાજર રહ્યા તો ઘણા નેતાઓ આનાથી દૂર રહ્યા. જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ઈફ્તાર પાર્ટીમાં શામેલ નહિ થનારા નેતાઓ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્રીજા મોરચાની કવાયતમાં જોડાયેલ નેતાઓ ઈફ્તાર પાર્ટીમાં ગેરહાજર
રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, રાજદ નેતા તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા સુપ્રિમો માયાવતી અને આરએલડીના અજીત સિંહ પણ શામેલ ન થયા. બસપા તરફથી માયાવતીએ રાજ્યસભા સાંસદ સતીષ મિશ્રાને મોકલ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવે પટનામાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ એટલા માટે તે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ થયા નહિ.

મમતા-અખિલેશ-માયાવતીએ જાળવ્યુ અંતર
સોનિયા ગાંધી પોતે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થયા. સમાચારો અનુસાર વિદેશમાં હોવાના કારણે તે ઈફ્તાર પાર્ટીમાં ભાગ ન લઈ શક્યા. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના નેતા જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થઈ શક્યા. કોંગ્રેસ અધ્યક્ષ રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તારનુ આયોજન કર્યુ હતુ.

અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા
ઈફ્તાર પાર્ટીથી પહેલા વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આનાથી વિપક્ષી એકતા મજબૂત થશે. પરંતુ, અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પદ પર હોવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તાર પાર્ટી આપી હતી. ત્રીજા મોરચાની કવાયતમાં જોતરાયેલા નેતાઓનું પાર્ટીમાં ગેરહાજર રહેવુ રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
