પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકના પાંચ પુરવા આ રહ્યા, વાંચો
ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાક અધિકૃત કાશ્મીરમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે આ વાતની સચ્ચાઇ પણ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. પણ આ તમામની વચ્ચે કેટલાક પ્રત્યક્ષદર્શી મળ્યા છે જેમણે સર્જિકલ સ્ટ્રાઇકની પૃષ્ઠી આપી છે. અને આતંકીઓની લાશો અંગે પણ ખુલાસો કર્યો છે.

પહેલો પુરાવો
ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ સીમા પાર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે 28 સપ્ટેમ્બરે મોડી રાતે જોરદાર ફાયરિંગ થયું હતું. અને તે ઇમારત પણ પડી હતી જેનો ઉપયોગ આતંકવાદીઓ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એલઓસીથી 4 કિમી દૂર આવેલા દુધનિયાલ ગામમાં અલ હાવી બ્રિઝ પાસે આવેલી એક મોટી ઇમારત પડી ભાંગી હતી.

બીજો પુરાવો
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 29 ઓક્ટોબરની સવારે ટ્રકોમાં આતંકીઓના મૃત શરીરને ગુપ્ત સ્થાને દફનાવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શી મુજબ 5થી 6 શબોથી ભરેલી ટ્રકને નીલમ નદી નજીક લશ્કર કેમ્પમાં લઇ જવામાં આવી હતી. વળી શુક્રવારે મસ્જિદમાં પણ લોકો તેમના માટે દુઆ કરતા અને તેમનો બદલો લેવાની વાત કરતા જોવા મળ્યા હતા.

ત્રીજો પુરાવો
એલઓસીની તે પાર રહેલા પાંચ લોકો આ વાતની પુષ્ટિ કરી છે અને તેમણે તે જગ્યા પણ બતાવી. જે વિષે ભારત અને પાકિસ્તાન સરકારે જાણકારી આપી છે. નોંધનીય છે કે આ જગ્યા દુધનિયાલ ગામ પાસે છે જે ભારતના કુપવાડાની નજીક છે. અને આ વિસ્તારમાં બે બિલ્ડિંગો પણ પડેલી જોવા મળી છે. લોકો પણ અહીં તે દિવસે ફાયરિંગ અને ધમાકાના અવાજો સાંભળ્યા હતા.

ચોથો પુરાવો
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અલ હાવી બ્રિજ તે જગ્યા છે જ્યાં ધુસણખોરો સીમા પાર કરવાની પહેલા હથિયારો ભરે છે. એટલું જ નહીં તે પણ જાણવા મળ્યું છે કે ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી લશ્કર સમેત અન્ય આતંકી સંગઠનોને પણ જોરદારનો ઝટકો લાગ્યો છે.

પાંચમો પુરાવો
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે ફાયરિંગમાં જ્યાં કેટલાક આતંકીઓની મોત થઇ હતી. તો કેટલાક આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. અને મારી ગયેલા આતંકીઓને આસપાસના વિસ્તારમાં દફનાવવામાં નથી આવ્યા. નોંધનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતે કેટલા આંતકીઓને માર્યા તે અંગે ભારતીય સેનાએ હજી સુધી કોઇ સ્પષ્ટ ખુલાસો નથી કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
