ભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓનુ પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સવારે 10.30 વાગે રાજભવનમાં મુલાકાત કરશે.
મહારાષ્ટ્ર સરકારની રચના માટે ચાલી રહેલ ગતિરોધ ખતમ થતો દેખાઈ રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓનુ પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સવારે 10.30 વાગે રાજભવનમાં મુલાકાત કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના નેતૃત્વમાં ભાજપનુ પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કોર કમિટીના સભ્ય સુધીર મુનગંટીવારે બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીજી વારની મુલાકાત બાદ કહ્યુ હતુ તે તમે પાણીમાં ભાગલા ના પાડી શકો ભલે તમે ગમે તેટલી કોશિશ કરો. શિવસેના અને ભાજપ સાથે સાથે છે. ખેડૂતોના મુદ્દે અમારી ચર્ચા થઈ છે. અમે સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે એ ગમે ત્યારે આવી શકે છે. તમને જણાવી દઈએ કે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ છે.

ખતમ થઈ શકે છે ગતિરોધ
આ બાબતે રાજ્યપાલ કાર્યાલયને સૂચિત કરી દેવામાં આવ્યુ છે કે ભાજપનુ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે આવશે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે અમને આશા છે કે સરકાર બનાવવા માટે ચાલી રહેલ ગતિરોધ ખતમ થઈ જશે. સૂત્રોનુ કહેવુ છે કે શિવસેનાના પ્રતિનિધિમંડળ એકનાથ શિંદે અને સુભાષ દેસાઈની આગેવાનીમાં ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વરસાદથી રાજ્યમાં થયેલા નુકશાન પર ચર્ચા કરવામાં આવી. બેઠકની અધ્યક્ષતા દેવેન્દ્ર ફડણવીસે કરી અને તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરી. આમાં શિવસેનાના પણ મંત્રી શામેલ થયા હતા.

ગડકરીને મળ્યા અહેમદ પટેલ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે બુધવારે મુલાકાત કરી હતી. ત્યારબાદ તમામ અટકળોનુ બજાર ગરમ થઈ ગયુ હતુ. છેલ્લા અમુક દિવસોની વાત કરીએ તો એ વાત અંગે પણ ચર્ચા છે કે છેવટે કેમ નિતિન ગડકરીએ રાજ્યમાં ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવાની કોશિશ ન કરી. ગડકરી સાથે મુલાકાત બાદ અહેમદ પટેલે કહ્યુ હતુ કે તેમની આ મુલાકાત ખેડૂતોના મુદ્દે હતી. તેમની આ મુલાકાતને મહારાષ્ટ્ર સરકારની રચના સાથે કંઈ લેવાદેવા નથી.

એનસીપીએ સ્પષ્ટ કર્યુ વલણ
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તે એ વાતની રાહ જોઈ રહ્યા છે કે ભાજપ અને શિવસેનાની રચના કરે જેથી એનસીપી સારી રીતે વિપક્ષની ભૂમિકા નિભાવી શકે. તેમણે કહ્યુ કે શિવસેના અને ભાજપ 25 વર્ષોથી ગઠબંધમાં છે. એવામાં કોઈ સવાલ નથી ઉઠતો કે રાજ્યમાં બીજુ કોઈ સરકાર બનાવે. આજે નહિ તો કાલે બંને સાથે આવી જશે. લોકોએ અમને વિપક્ષમાં બેસવાનો મત આપ્યો છે અને અમે અમારી ભૂમિકા સારી રીતે નિભાવીશુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
