Yogi Adityanath : દેશની નિંદા કરવાવાળા સત્યાગ્રહ ન કરી શકે, સંકલ્પ સત્યાગ્રહ પર બોલ્યા યોગી
Yogi Adityanath : સાંસદના રૂપમાં રાહુલ ગાંધીને લઇને લોકસભામાં અયોગ્ય ઠેરવવા બાદ કોંગ્રેસના નેતાઓ રાજઘાટ પર એકદિવસીય સંકલ્પ સત્યાગ્રહ કરી રહ્યા છે. કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા 'સંકલ્પ સત્યાગ્રહ'ની આકરી ટીકા કરી હતી. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, અસત્યના રસ્તે ચાલનાર સત્યાગ્રહની વાત ન કરી શકે.

મુખ્યમંત્રી યોગીએ કોઈનું નામ લીધા વગર ઈશારામાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ લોકશાહીને નબળી પાડે છે, તે સત્યાગ્રહ કરી શકે નહીં. ભારે
ભ્રષ્ટાચારમાં ડૂબેલા લોકો સત્યાગ્રહ કરી શકતા નથી. જાતિવાદ, ભાષાવાદ, પ્રાદેશિકવાદને પ્રોત્સાહન આપનારાઓ સત્યાગ્રહ કરી શકતા
નથી. આ દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, જેમને મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ નથી, અવાચક જીવોને બાજુ પર રાખો, તેઓ સત્યાગ્રહ કરી શકતા નથી. જે લોકો ભાષા અને પ્રાદેશિકતાના આધારે દેશનું વિભાજન કરે છે, તેઓ સત્યાગ્રહ કરી શકતા નથી. જે લોકો દેશની નિંદા કરે છે અને સેનાના બહાદુર સૈનિકો માટે કોઈ માન નથી રાખતા તેઓ સત્યાગ્રહ કરી શકતા નથી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ તેમના સત્તાવાર આવાસ પર પશુપાલન વિભાગના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ બધી વાતો કહી. આ પ્રસંગે તેમણે પશુપાલન વિભાગની 520 એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી હતી. આ એમ્બ્યુલન્સ દ્વારા હવે પશુપાલકો ઘરે બેસીને માત્ર એક ફોન કરીને તેમના પશુઓની સારવાર કરાવી શકશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કોંગ્રેસ 26 માર્ચના રોજ રાજઘાટ પર સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય પાર્ટીના નેતાઓ પણ સંકલ્પ સત્યાગ્રહમાં સામેલ થવા માટે રાજઘાટ પહોંચ્યા હતા. મોદી અટક ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધી સામે માનહાનિના કેસમાં સુરતની એક કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જોકે,
આ કેસમાં રાહુલ ગાંધીને પણ તાત્કાલિક જામીન આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
