ધર્મપુરી પાસે કન્નુર-યશવંતપુર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ

શુક્રવારની સવારે 3.50 કલાકની આસપાસ થોપપુર અને શિવડી (ઘાટ વિભાગ) વચ્ચે ટ્રેન નંબર 07390 કન્નુર-યશવંતપુર એક્સપ્રેસ ટ્રેનના સાત કોચ - B1, B2 (3rd AC), S6, S7, S8, S9, S10 (સ્લીપર) પાટા પરથી ઉતરી ગયા હતા.

શુક્રવારની સવારે 3.50 કલાકની આસપાસ થોપપુર અને શિવડી (ઘાટ વિભાગ) વચ્ચે ટ્રેન નંબર 07390 કન્નુર-યશવંતપુર એક્સપ્રેસ ટ્રેનના સાત કોચ - B1, B2 (3rd AC), S6, S7, S8, S9, S10 (સ્લીપર) પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનમાં સવાર લગભગ 2,350 મુસાફરો શુક્રવારની વહેલી સવારે તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં ઘાટ વિભાગ પર પથ્થરો પડતા તેમનો બચાવ થયો હતો.

Kannur Bangalore Express

SWRના મુખ્ય જનસંપર્ક અધિકારી અનીશ હેગડેએ જણાવ્યું હતું કે, ચાલતી ટ્રેનમાં અચાનક પથ્થરો પડી જવાને કારણે, બેંગ્લોર ડિવિઝનમાં ઓમાલુર - બેંગ્લોર સેક્શનમાં શિવડી અને મુત્તમપટ્ટી વચ્ચે સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કન્નુરથી ગુરુવારના રોજ સાંજે 6.05 કલાકે ઉપડેલી ટ્રેનમાં 2,348 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાઓ નોંધાઈ નથી.

બેંગ્લોરના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્યામ સિંઘ અને વરિષ્ઠ અધિકારીઓ સવારે 4.45 કલાકે અકસ્માત રાહત ટ્રેન (ART) અને તબીબી સાધનોની વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ સાથે ડીઆરએમ સાલેમ પણ સવારે 5.30 કલાકે ઈરોડથી એઆરટી સાથે ઘટનાસ્થળે ગયા હતા. બેંગ્લોર ડીઆરએમએ પત્રકારોને જણાવ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈ જાનહાનિ અથવા ઈજાના અહેવાલ નથી. તબીબી ટીમ મુસાફરોની તપાસ કરવા માટે સ્થળ પર દોડી ગઈ હતી.

બેંગ્લોર ડીઆરએમએ જણાવ્યું હતું કે, અમે ટ્રેનને સાલેમ તરફ અને આગળ તિરુપત્તુર રૂટ દ્વારા સ્પેશિયલ ટ્રેન દ્વારા બેંગ્લોર તરફ ખસેડી છે. ત્રણ કોચનો આગળનો ભાગ ધર્મપુરીમાં ખસેડવામાં આવ્યો હતો. છ કોચ અને એસએલઆર (સીટિંગ કમ લગેજ રેક)નો અપ્રભાવિત પાછળનો ભાગ મુસાફરો સાથે થોપપુર અને આગળ સાલેમ તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. તે ટોપપુર ખાતે રોકાશે. બસ દ્વારા બેંગ્લોર જવા માંગતા લોકો માટે થોપપુર ખાતે પંદર બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેઓ સાલેમ પાછા જવા માંગે છે, તેઓ એ જ ટ્રેનમાં મુસાફરી કરે છે.

હેગડેએ જણાવ્યું હતું કે, ફસાયેલા મુસાફરો માટે સ્થળ પર પાણી અને હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસુર (04344-222603), બેંગ્લોર (080- 22156554) અને ધર્મપુરી (04342-232111) ખાતે હેલ્પ ડેસ્ક પણ ખોલવામાં આવ્યું છે. ટ્રેક રિસ્ટોરેશન ચાલુ હતું. માટી ખસેડવાના સાધનો વડે પથ્થરો દૂર કરવામાં આવી રહ્યા હતા. SWR અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાટા પરથી ઉતરી જવાને કારણે ત્રણ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી હતી. ટ્રેન નંબર 02677 KSR બેંગ્લોર- એર્નાકુલમ સુપરફાસ્ટ સ્પેશિયલ રવાના કરવામાં આવી છે. જે બૈયપ્પનાહલી, બાંગરાપેટ અને તિરુપત્તુર થઈને ચલાવવામાં આવે છે.

ટ્રેન નંબર 07236 Nagercoil Jn- KSR બેંગ્લોર ફેસ્ટિવલ સ્પેશિયલ શેડ્યૂલને સાલેમ, તિરુપથુર, બંગારાપેટ અને KSR બેંગ્લોર થઈને ચલાવવા માટે વાળવામાં આવ્યો છે. ટ્રેન નંબર 07316 સાલેમ - યશવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ કે જે સવારે 5:30 કલાકે ઉપડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તે સાલેમ ખાતે રેગ્યુલેટ કરવામાં આવશે અને ત્રણ કલાકમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X