ભારતના આન બાન અને શાન તિરંગાની કહાની
ભારતના આન બાન અને શાન તિરંગાની કહાની
નવી દિલ્હીઃ આઝાદી સાથે જોડાયેલ ઘટનાક્રમ જેટલો દિલચસ્પ છે, તિરંગાની આન બાન અને શાનના પ્રતિક આપણા તિરંગાનો ઈતિહાસ પણ એટલો જ દિલચસ્પ છે. જણાવી દઈએ કે આપણા તિરંગા સાથે જોડાયેલા તથ્યોમાંથી એક ફ્રાંસીસી ક્રાંતિ સાથે જોડાયેલ પણ માનવામાં આવે છે. તે સમયે ફ્રાંસનનો ઝંડો પણ તિરંગો હતો. 1831માં થયેલ ફ્રાંસીસી ક્રાંતિએ નેશનલિઝ્મને જન્મ આપ્યો હતો. જો કે તેને હિન્દીમાં રાષ્ટ્રવાદ કહેવા પર અલગ અલગ મત પણ સામે આવે છે. પરંતુ મોટાભાગના વિદ્વાનો ક્રાંતિને જ રાષ્ટ્રવાદના જનક માને છે. ફ્રાંસમાં થયેલ આ ઘટના બાદ ભારતમાં પણ 1857ની ક્રાંતિ થઈ હતી. 20મી શદીમાં થયેલ સ્વદેશી આંદોલન સમયે પણ પ્રતિક રૂપે ઝંડાની જરૂરત મહેસૂસ થઈ હતી. જે બાદ 7 ઓગસ્ટ 1906ના રોજ બંગભંગના આંદોલનમાં પહેલીવાર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જો કે આ સત્તાવાર ધ્વજ નહોતો.

રાષ્ટ્ર ધ્વજની કહાની
વર્ષ 1947 આવતા આવતા તે સમયના નેતાઓને રાષ્ટ્રીય ધ્વજની કમી મહેસૂસ થઈ કેમ કે દુનિયાના તમામ મોટા દેશ પાસે પોતાનો રાષ્ટ્રધ્વજ હતો. ડૉ રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમીતિની રચના કરવામાં આવી 'જેને ધ્વજ સમિતિ કહેવામાં આવી. આ સમિતિએ ફેસલો લીધો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઝંડાને જ રાષ્ટ્ર્યી ધ્વજ માની લેવામાં આવે. જો કે તેમાં એક પરિવર્તન કરવમાં આવ્યું અને વચ્ચે અશોક ચક્ર લગાવવાની વાત કહેવામાં આવી.

ગાંધી બાપુએ સૂચવ્યો હતો આ ધ્વજ
જે બાદ 22 જુલાઈ 1947ના રોજ સંવિધાન સભામાં ત્રિરંગા ઝંડાને ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ઘોષિત કરવમાં આવ્યો, જેમાં ત્રણ રંગ છે, કેસરી, સફેદ અને લીલો. સફેદ રંગના પટ્ટામાં બ્લૂ રંગનું અશોક ચક્ર બનાવેલ છે જેમાં 24 આરા છે. રાષ્ટ્રીય ધ્વજનો માત્ર આટલો જ ઈતિહાસ નથી, વર્ષ 1921માં મહાત્મા ગાંધીએ પણ એક ઝંડાનો ઉકેલ આપ્યો હતો.જેમાં બે રંગ હતા લાલ અને લીલો.'આ ધ્વજને પિંગલી વેંકૈયાએ બનાવ્યો હતો. જેની વચ્ચે ચરખો બનેલો હતો.

સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી
વર્ષ 1971માં ખિલાફત આંદોલન સમયે ત્રણ રંગનો ઝંડો સામે આવ્યો, જે કંગ્રોસને ઝંડો બન્યો અને પછી તેને પરિવર્તનો સાથે રાષ્ટ્રીય ધ્વજ માની લેવામાં આવ્યો. ખિલાફત આંદોલન સમયે ઝંડો સ્વરાજ ઈન્ડિયાનો હતો. આઝાદી બાદ તિરંગો ફરકાવવાની મંજૂરી માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ હતી. પરંતુ વર્ષ 2002માં એક અરજીની સુનાવણઈ કરતા સુપ્રીમ કોર્ટે તિરંગાને બાકી દિવસોમં ફરકાવવાની પણ મંજૂરી આપી દીધી. જેબાદ વર્ષ 2005માં કેટલાક વસ્ત્રોમાં પણ તિરંગો ચિતરવાની મંજૂરી આપી દીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
