દર વર્ષે 7 ડિસેમ્બરે ઉજવાતો સશસ્ત્ર દળ ઝંડા દિવસ શું છે જાણો અહીં
7 ડિસેમ્બર, વર્ષ 1949 ના દિવસે સેનાઓ અને સૈનિકોને સમ્માન આપવા માટે શરુ થઇ હતી સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવાની પરંપરા...
7 ડિસેમ્બર એટલે કે આજે ભારતીય સેનાઓ માટે એક મહત્વનો દિવસ છે. આ દિવસને સમગ્ર દેશ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ઝંડા દિવસ તરીકે યાદ કરે છે. આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ની શરુઆત વર્ષ 1949 માં થઇ હતી અને તેનો હેતુ સેનાઓને તેમને યોગ્ય સમ્માન આપવાનો હતો.

ફંડ ભેગુ કરવામાં આવે છે
દર વર્ષે આ દિવસે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપનાર જવાનો, એરમેન અને નૌસેનિકોને યાદ કરવામાં આવે છે. 7 ડિસેમ્બર, 1949 થી દર વર્ષે આ દિવસ મનાવવાની પરંપરા છે. આ દિવસે સૌનિકોના કલ્યાણ માટે ફંડ પણ ભેગુ કરવામાં આવે છે. જુઓ આ દિવસનું મહત્વ ખરેખર શું છે.
કેમ થઇ શરુઆત
સન 1947 માં મળેલી આઝાદી બાદ સરકાર પાસે સૈનિકોની દેખરેખ માટે જરુરી પૈસા નહોતા. 28 ઓગસ્ટ,1949 ના દિવસે રક્ષામંત્રીના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી. આ કમિટી તરફથી દર વર્ષે 7 ડિસેમ્બરને ઝંડા દિવસ તરીકે મનાવવાનો આઇડિયા આપવામાં આવ્યો. ઝંડા દિવસે લોકોને નાના નાના ઝંડા આપવામાં આવતા અને તેના બદલે ડોનેશન લેવામાં આવતુ. સામાન્ય જનતામાં સૈનિકોના પરિવારોની દેખરેખની જવાબદારીની ભાવના જગાડવા માટેનો આનો મુખ્ય હેતુ હતો.
ઝંડા દિવસ એક એવો દિવસ છે જ્યાં તમે સૈનિકો અને તેના પરિવારોના કલ્યાણ માટે 10 રુપિયાથી લઇને 10 લાખ રુપિયા સુધી ડોનેશન આપી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોના યોગદાન અને તેમની કોશિશોને લોકો સામે લાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ અંતર્ગત આ ફંડ ભેગુ કરવામાં આવે છે અને તેની દેખરેખ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ પણ રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે.
શું કહ્યુ હતુ પંડિત નહેરુએ
7 ડિસેમ્બર, 1954 ના દિવસે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ દિવસે એક ખાસ વાત કહી હતી. પંડિત નહેરુએ કહ્યુ હતુ કે, 'થોડા અઠવાડિયા પહેલા હું ભારત અને ચીનની સરહદ પર ગયો. હું સેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યો. જે ત્યાં આંતરરાષ્ટ્રીય મિશન સાથે જોડાયેલા હતા. જ્યારે મે જોયુ કે તેઓ કેવી રીતે પોતાના સારા કામને એક એવી જગ્યાએ અંજામ આપી રહ્યા છે તે ઘરથી ઘણી દૂર અને સૂમસામ છે. મને તેમને જોઇને એક પ્રકારનો રોમાંચ થયો.'
તેમણે આગળ કહ્યુ કે, 'આનાથી પણ વધુ મને એ જોઇને ઘણુ સારુ લાગ્યુ કે સૈનિકો સામાન્ય જનતા વચ્ચે ઘણા લોકપ્રિય હતા. મને આશા છે કે દેશવાસી તેમનાથી કંઇક શીખશે અને તેમની પ્રશંસા કરશે. ફ્લેગ ડે માં યોગદાન આપવુ પણ આ પ્રશંસાનો જ એક ભાગ છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
