અલગ તેલંગાણાના વિરોધમાં બંધ, જગનમોહન આજથી અનશન પર
હૈદારાબાદ, 5 ઓક્ટોબર: વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ એસ જગનમોહન રેડ્ડીએ 29મા રાજ્યના રૂપે તેલંગાણાના ગઠનને મંજૂરી આપવાના કેન્દ્રીય મંત્રિમંડળના નિર્ણયના વિરુદ્ધમાં શુક્રવારે 72 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. જેના વિરોધમાં જગને અમાર્યાદીત સમય માટે અનશન પર બેસી ગયા છે.
જગને જણાવ્યું હતુ કે તેમને જેલમાં રહીને જેટલી તકલીફ નથી થઇ તેટલી તકલીફ આ વિભાજનથી થઇ રહી છે. જગને આખા દેશને અલગ તેલંગાણાના વિરોધમાં અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું છે. જેના વિરોધમાં જગન આજથી અમર્યાદીત અનશન પર ઉતરી ગયા છે.
જગને આ નિર્ણય માટે સત્તારૂઢ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી દળ ટીડીપીને જવાબદાર ઠેરાવતા એ માંગ કરી છે કે સરહદી વિસ્તારોમાં બધા લોકસભા સભ્યોએ રાજીનામા આપી દેવા જોઇએ જેથી કરીને વિભાજનની પ્રક્રિયા રોકી શકાય.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશ વિધાનસભાના પ્રસ્તાવ વગર જ વિભાજનનો નિર્ણય લેવાનો વિરોધ કર્યો. જગને જણાવ્યું કે છત્તીસગઢ, ઉત્તરાખંડ, અને ઝારખંડ રાજ્યોના ગઠન સમયે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે વાઇએસઆરસીપીની ભવિષ્યની યોજના પર ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે.

સરહદી વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા
આંધ્ર પ્રદેશના તટીય અને રાયલસીમા વિસ્તારના જિલ્લામાં શનિવારે સેન્યદળોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અત્રે અલગ તેલંગાણાના વિરોધમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થઇ રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં હિંસા પણ થઇ રહી છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડૂ દિલ્હીમાં કરશે અનશન
ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશના વિભાજનના વિરોધમાં આગામી 7 ઓક્ટોબરથી તેઓ અમર્યાદીત સમય માટે અનશન પર બેસશે. ચંદ્રબાબુએ જણાવ્યું કે 'કોંગ્રેસે દેશ અને આંધ્ર પ્રદેશને બરબાદ કરી નાખ્યું, કોંગ્રેસે તેલૂગુ લોકોની આશંકાઓને દૂર કર્યા વગર જ રાજ્યના વિભાજનનો નિર્ણય કરી લીધો. માટે હું કોંગ્રેસનો પર્દાફાશ કરવા માટે અનશન કરીશ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
