નીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યું
નીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યું
નવી દિલ્હીઃ જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર આજે બિહારમાં સાતમી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મંગળવારે ઘોષિત થયેલ ચૂંટણી પરિણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યા બાદ રવિવારે એનડીએના નેતાએ નીતિશ કુમારને સર્વસંમતિથી પોતાના નેતા ચૂંટી લીધા છે. પટનામાં આજે 4.30 વાગ્યે નીતિશ સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત થશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થશે. જ્યારે આરજેડીએ નીતિશ કુમારના શપથ ગ્રહણનો બહિષ્કાર કરતાં કહ્યું કે તેજસ્વી યાદવ આ સમારોહમાં સામેલ નહિ થાય.

રાષ્ટ્રીય જનતા દાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરતાં કહેવામાં આવ્યું કે, રાજદ શપથ ગ્રહણને બૉયકોટ કરે છે. બદલાવનો જનાદેશ એનડીએની વિરુદધ છે. જનાદેશને શાસનાદેશ સાથે બદલી નાખવામાં આવ્યો. બિહારના બેરોજગારો, ખેડૂતો, સંવિદાકર્મીઓ, નિયોજિત શિક્ષકોને પૂછો કે તેમના પર શું ગુજરી રહી છે. એનડીએના કૌભાંડથી જનતા આક્રોશિત છે. અમે જનપ્રતિનિધિ છીએ અને જનતાની સાથે ઉભા છીએ.
બિહારમાં બે મજબૂરોની મજબૂર સરકાર
એક અન્ય ટ્વીટમાં આરજેડીએ કહ્યું કે, બિહારમાં બે મજબૂરોની મજબૂર સરકાર બની રહી છે. એક શક્તિવિહીન, શિથિલ અને ભ્રષ્ટ પ્રમાણિત થઈ ચૂકેલા મજબૂર સીએમ. બીજો ચહેરાવિહીન અને તંત્ર પ્રપંચને મજબૂર વરિષ્ઠ ઘટક દ. જેની મજબૂરી છે- 1) રાજદનો જનાધાર! અને 2) તેજસ્વી યાદવને પોતાના સર્વાધિક પ્રિય નેતા સ્વીકારનાર બિહાર.
આરજેડી બિહારની સૌથી મોટી પાર્ટી બની
જણાવી દઈએ કે ચૂંટણી પરિણામોમાં 75 વિધાનસભા સીટ હાંસલ કરી આરજેડી રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, પરંતુ તેના મહાગઠબંધનને બહુમત નથી મળ્યું. કોંગ્રેસ, આરજેડી અને વામ દળોનું મહાગઠબંધન બિહારની 243 સીટમાંથી 110 સીટ જ હાંસલ કરી શકી છે. જેમાં આરજેડીને 75, કોંગ્રેસને 19, કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા(એલ)ને 12, કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (એમ)ને 2 અને કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈંડિયાને 2 સીટ મળી છે. જ્યારે એનડીએએ 125 સીટ પર જીત નોંધાવી છે, જેમાં 74 સીટ પર ભાજપ, 43 સીટ પર જેડીયૂ અને 4-4 સીટ પર વીઆઈપી અને હમે જીતનો પરચમ લહેરાવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
