હનીમુન જવા માટે થયો હતો તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચેે ઝઘડો?
લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે.
લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે. તેજનું કહેવુ છે કે તે અને ઐશ્વર્યાના વિચારો ખૂબ જ અલગ છે, તે નોર્થ પોલ છે અને હું સાઉથ પોલ એટલા માટે અમારુ સાથે રહેવુ હવે ઘણુ મુશ્કેલ છે. હાલમાં તેજનો પૂરો પરિવાર તેના વિરોધમાં થઈ ગયો છે. જેના કારણે તે ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

હનીમુનની વાત માટે થયો તેજ-ઐશ્વર્યામાં ઝઘડો
એટલુ જ નહિ લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજ પ્રતાપ યાદવે કહ્યુ છે કે તેમની અને તેમની પત્ની વચ્ચે હનીમુનની વાત માટે જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. તેજના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા ઈચ્છતી હતી કે તે તેમને હનીમુન માટે બાલી (ઈન્ડોનેશિયા) લઈ જાય પરંતુ તેજે ના પાડી દીધી કારણકે તે ધાર્મિક પ્રકારના વ્યક્તિ છે એટલા માટે એવા જગ્યાઓએ ના જઈ શકે. એટલુ જ નહિ તેજે કહ્યુ કે શહેરી પરિવેશ અને મોડર્ન વિચારો ધરાવતી ઐશ્વર્યાને સિગારેટ અને શરાબનો પણ શોખ છે.

મારા લગ્ન જબરદસ્તી કરાવવામાં આવ્યા હતાઃ તેજ પ્રતાપ
તેજ પ્રતાપનું કહેવુ છે કે તેમના લગ્ન જબરદસ્તીથી કરાવવામાં આવ્યા હતા જેના કારણે તેમની અને તેમની પત્નીની જીવનની ગાડી આગળ નથી વધી શકતી. તેજનું એ પણ કહેવુ છે કે આ લગ્ન રાજકીય ફાયદા માટે કરાવવામાં આવ્યા હતા અને તેમણે લગ્નનો ઈનકાર પણ કર્યો હતો પરંતુ ઘરવાળાએ તેમનુ કંઈ પણ સાંભળ્યુ નહિ અને તેમના લગ્ન જબરદસ્તી કરાવી દીધા.

સારણ લોકસભા સીટ
મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ઐશ્વર્યા પોતાના પિતા ચંદ્રિકા પ્રસાદ રાયને સારણ લોકસભા સીટ પરથી ટિકિટ અપાવવા ઈચ્છતી હતી જેના માટે તે તેજ પ્રતાપ પર દબાણ કરી રહી હતી.

લાલુએ સમજાવ્યા લાલને પરંતુ ટસથી મસ ન થયા
પોતાની આ વ્યથા જણાવવા તેજ યાદવ રવિવારે રિમ્સના પેઈંગ વોર્ડમાં પહોંચ્યા હતા જ્યાં પોતાના પિતાને જોતા જ તેજ પ્રતાપની ધીરજનો અંત આવી ગયો અને તેમણે પોતાની બધી વાતો પોતાના પિતાને જણાવી દીધી પરંતુ લાલુએ પણ પોતાના પુત્રને સંબંધ બચાવી રાખવાની સલાહ આપી. લાલુએ કહ્યુ કે, ‘બબુઆ માન જા, ઈલેક્શન કે સમય બા, બહુત બદનામી હોઈ, સમજા બબુઆ.'

તેની સાથે નથી રહેવુ મારેઃ તેજ પ્રતાપ
જેના જવાબમાં તેજપ્રતાપે કહ્યુ કે મારે તેની સાથે નથી રહેવુ. લાલુ પ્રસાદે સતત સમજાવવા-મનાવવાની કોશિશ કરતા રહ્યા પરંતુ તેજપ્રતાપ ચૂપચાપ તેમની વાતો સાંભળતા રહ્યા પરંતુ અંતમાં એ જ કહ્યુ કે હવે તે છૂટાછેડાની અરજી પાછી નહિ લે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
