સુપ્રીમનો યુપી સરકારને સવાલ, આશિષ મિશ્રાની ધરપકડ કેમ નહી?
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : રવિવારે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સતત બીજા દિવસે સુનાવણી કરી હતી.
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : રવિવારે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સતત બીજા દિવસે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે યુપી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું કે, આ કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ અંગે આશિષ મિશ્રા સામે દાખલ કરાયેલા કેસમાં લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે.

અન્ય આરોપીઓને પણ નોટિસ મોકલવામાં આવે છે?
આ કેસમાં યુપી સરકાર વતી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે કેસમાં જે યુવક (આશિષ મિશ્રા) ને નિશાન બનાવવામાં આવી રહ્યો છે તેને પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે અને તે આવતીકાલે એટલે કે શનિવારે સવારે 11 વાગ્યે પોલીસ સામે હાજર થશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આશિષ મિશ્રા સામેના આરોપો ખૂબ જ ગંભીર છે. આ અંગે હરીશ સાલ્વેએ કહ્યું કે જો આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે. હરીશ સાલ્વેની આ દલીલ પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું યુપી સરકાર અન્ય આરોપીઓ સાથે પણ નોટિસ મોકલી આ જ રીતે વર્તે છે?

ક્યાં આધાર પર હજુ આરોપીની ધરપકડ નથી કરાઈ?
સુપ્રીમ કોર્ટના આ સવાલ પર હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીર પર ગોળીના નિશાન મળ્યા નથી, આથી આશિષ મિશ્રાને નોટિસ મોકલીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે જ્યારે કોઈની સામે મૃત્યુ અથવા ગોળી વાગવાનો ગંભીર આરોપ છે ત્યારે શું અન્ય આરોપીઓ સાથે પણ આ દેશમાં સમાન વર્તન કરવામાં આવશે? સુપ્રીમ કોર્ટના આ સવાલ પર હરીશ સાલ્વેએ કહ્યું કે પોલીસને સ્થળ પરથી માત્ર બે કારતુસ મળ્યા છે, કદાચ આરોપીનો કોઈ ખોટો હેતુ હોય. આના પર સીજેઆઈએ હરીશ સાલ્વેને પૂછ્યું, તો શું આ આધારે આરોપીઓની અટકાયત નથી થઈ રહી?

કેસ અન્ય એજન્સી પાસે ન જાય ત્યાં સુધી પુરાવા સુરક્ષિત રાખવામાં આવે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં લેવામાં આવેલા પગલાથી સંતુષ્ટ નથી. CJI એ હરીશ સાલ્વેને કહ્યું કે, જ્યાં સુધી કોઈ અન્ય એજન્સી આ કેસ તેમના હાથમાં ન લે, ત્યાં સુધી તમારા DGP ને પૂછો કે આ કેસ સંબંધિત તમામ પુરાવા સુરક્ષિત છે કે કેમ'? સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે યુપી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ તેમને ખાતરી આપી છે કે કેસમાં પુરાવાને સુરક્ષિત રાખવા માટે ડીજીપીને જાણ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ મામલાની જાતે નોંધ લીધી છે
તમને જણાવી દઈએ કે રવિવારે લખીમપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે, જેના પર ખેડૂતોને કારથી કચડી નાખવાનો આરોપ છે. લખીમપુર ખીરીની આ ઘટનામાં સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી શરૂ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
