નકલી કોરોના સર્ટિફિકેટથી વળતર લેનારાઓથી સુપ્રીમ કોર્ટ ચિંતિત, કૈંગ કરી શકે છે તપાસ
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે મૃત્યુનું નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને વળતર મેળવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી મૃત્યુના નકલી કાગળો બનાવીને વળતરનો દાવો કરવામા
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે મૃત્યુનું નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને વળતર મેળવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી મૃત્યુના નકલી કાગળો બનાવીને વળતરનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી અને ચિંતા વ્યક્ત કરતા સીએજી દ્વારા આ મામલે તપાસ કરવાનો સંકેત આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, અમે ચિંતિત છીએ કે કેટલાક લોકો નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને કોરોનાથી મૃત્યુ માટે 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાના અમારા આદેશનો દુરુપયોગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો કે તે આ મામલે ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા તપાસનો આદેશ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મંગળવારે નકલી દાવા અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 21 માર્ચે થશે.
કેન્દ્રએ કોર્ટમાં શું કહ્યું?
ગયા અઠવાડિયે કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કોરોનાના કારણે મૃત્યુના કેસમાં આશ્રિત સંબંધીઓને વળતર આપવામાં સમસ્યા છે કારણ કે ઘણા લોકો નકલી બનાવીને વળતરનો દાવો કરી રહ્યા છે. તુષાર મહેતાએ કહ્યું કે ડોકટરો નકલી પ્રમાણપત્રો આપી રહ્યા છે કે અન્ય કારણોસર મૃત્યુ પણ કોરોનાને કારણે મૃત્યુ છે.
સુપ્રીમ કોર્ટે વળતર આપવાનો આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે કોવિડના કારણે મૃત્યુના કિસ્સામાં મૃતકના નજીકના સંબંધીઓને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પર, કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપવા માટે સંમત થયા હતા. જો કે, સરકાર તરફથી હોબાળો થયો છે, જેના પર સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
