જાસૂસી કાંડઃ ઈસરોના વૈજ્ઞાનિક નિર્દોષ, 50 લાખનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટેનો આદેશ
કેરળ સરકારે ખોટી રીતે ઈસરોના વૈજ્ઞાનિકની કરાવી હતી ધરપકડ, ચૂકવવા પડશે 50 લાખ
નવી દિલ્હીઃ ઈસરોના વૈજ્ઞાનિક નંબી નારાયણનને જાસૂસીના કેસમાં 24 વર્ષ બાદ રાહત મળી છે. 1994માં પાકિસ્તાનની જાસૂસી કરવાના આરોપસર નંબી નારાયણનની ધરપકડ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નંબી નારાયણનની ધરપકડને અયોગ્ય ગણાવીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સાથે જ 76 વર્ષના નંબી નારાયણનની ધરપકડમાં કેરળના પોલીસ અધિકારીઓની ભૂમિકાને લઈને ન્યાયિક કમિટીનું ગઠન કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ ડીકે જૈન આ કમિટિની અધ્યક્ષતા કરશે.

ઉલ્લેખનીય છે કે માલદીવની એક મહિલાની ધરપકડ બાદ 1994માં નંબી નારાયણનની પણ ધરપકડ કરવામાં આવી હતી. નારાયણને મહિલાને કેટલાક સિક્રેટ શેર કર્યાં હોવાનો આરોપ હતો. વર્ષ 1996માં સીબીઆઈએ તમામ મામલાના તમામ આરોપીઓને દોષ મુક્ત કરતાં આ કેસ બંધ કરી દીધો. 1998માં કેરળ રાજ્ય સરકારે ફરી આ મામલાને ખોલવાની વાત કહી પણ સુપ્રીમ કોર્ટે તેમની માગણી ફગાવી દીધી હતી.
બીજી બાજુ નંબી નારાયણને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમણે કેરળના પૂર્વ ડીજીપી સિબી મેથ્યૂ સહિતના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સિબી મેથ્યૂએ આ જાસૂસી કાંડની તપાસ કરી હતી. નંબી નારાયણને કેરળ હાઈકોર્ટના ફેસલાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ડીજીપી સિબી મેથ્યૂ અને બે રિટાયર્ડ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી નથી, ત્યારે નંબી નારાયણને ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
1998માં સુપ્રીમ કોર્ટેથી આ મામલામાં આરોપમુક્ત થયા બાદ નંબી નારાયણને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનો દરવાજો ખખડાવ્યો અને રાજ્ય સરકાર પાસેથી વળતરની માગણી કરી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ માર્ચ 2001માં નંબી નારાયણનને દસ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હતી. દરમિયાન દિપક મિશ્રાની આગેવાની વાળી ખંડપીઠે નંબી નારાયણનની ધરપકડને અયોગ્ય ગણાવીને રાજ્ય સરકારને 50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
શું હતો આરોપ?
1994માં માલદિવની બે ઈન્ટેલિજન્સ ઑફિસર મારિયમ રશિદા અને ફૌઝીયા હસનને ડિફેન્સ સેક્રેટ્સ લિક કર્યા હોવાનો નંબી નારાયણન પર ગંભીર આરોપ લાગ્યો હતો. નંબી નારાયણનની સાથે ડી સસિકુમારન પર વિરુદ્ધ પણ કરોડો રૂપિયામાં દેશના સિક્રેટ વેચતા હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે નંબી નારાયણન વિરુદ્ધ જાસૂસીના કોઈ સબુત ન મળતાં 2001માં તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા અને 10 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો- યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરનાર રોહિત તોમર પર રેપ કેસ નોંધાયો, પોલીસે ધરપકડ કરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
