શાહીન બાગમાં બનાવાઈ રહ્યો છે સુસાઈડ બૉમ્બરનો જથ્થોઃ ગિરિરાજ સિંહ
શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.
શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદા સામે થઈ રહેલ પ્રદર્શન દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મોટો મુદ્દો બની રહ્યો છે. આ અંગે ભાજપના ઘણા નેતા સતત આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ષડયંત્ર હેઠળ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહ્યા છે. વળી, શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.

ત્યાં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છેઃ ગિરિરાજ
દિલ્લી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના નિશાના પર શાહીન બાગ છે. ગિરિરાજ સિંહે શાહીન બાગના પ્રદર્શન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. ભાજપ સાંસદે ટ્વિટ કરીને કહ્યુ, આ શાહીન બાગ હવે માત્ર આંદોલન નથી રહી ગયુ... અહીં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે. દેશની રાજધાનીમાં દેશની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
|
અમિત માલવીયે પણ લગાવ્યા હતા આરોપ
આ પહેલા ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીયએ એક વીડિયો ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે આ મહિલાઓને ધરણા કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારી મહિલાઓએ અમિત માલવીયને અપમાનની નોટિસ મોકલી હતી. નાગરકિતા સુધારા કાયદા અને એનઆરસી માટે શાહીન બાગ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી મુસ્લિમ મહિલાઓ ધરણા પર બેઠી છે. મહિલાઓનુ આ ધરણા પ્રદ્રશન સતત સમાચારોમાં છવાયેલુ છે. પ્રદર્શન કરી રહેલી આ મહિલાઓની માંગ છે કે સરકાર નાગરિકતા સુધારા કાયદો પાછો લે.

શાહીન બાગમાં પ્રદર્શનના નામે અવ્યવસ્થા ફેલાવાઈ રહીઃ યોગી આદિત્યનાથ
આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે શાહીન બાગના પ્રદર્શન વિશે આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે શાહીન બાગમાં પ્રદર્શનના નામે દિલ્લીમાં અવ્યવસ્થા ફેલાવાઈ રહી છે. તેમણે કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યુ કે અનુચ્છેદ 370 હટવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ તકલીફ છે. હવે કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવાથી ફૂરસદ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
