સુભાષ ચંદ્ર બોસ આઈએનએ ટ્રસ્ટે નેતાજીને યાદ કર્યા, યુવાઓને તેમના વ્યક્તિત્વથી અવગત કરાવ્યા
સુભાષ ચંદ્ર બોસ આઈએનએ ટ્રસ્ટે નેતાજીને યાદ કર્યા, યુવાઓને તેમના વ્યક્તિત્વથી અવગત કરાવ્યા
દેશ આ વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યો છે, જ્યારે દેશ અંગ્રોજોનો ગુલામ હતો, ત્યારે નેતાજીએ આઝાદ હિંદ ફૌજ બનાવી દેશને ગુલામીની સાંકળમાંથી આઝાદ કરાવવા માટે બિગુલ ફૂંક્યું હતું. દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોસને સ્વતંત્રતા દિવસ પહેલાં આઈએનએ ટ્રસ્ટે એક કાર્યક્રમ દ્વારા તેમને યાદ કર્યા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાઓમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવી અને નેતાજી વિશે યુવાઓને જણાવવાનો હતો.

આઈએનએ ટ્રસ્ટ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં નેતાજીના વ્યક્તિત્વ પર ખુલીને ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન ટ્રસ્ટના વાઈસ ચેરમેન ડૉ જેએસ રાજપૂતે જણાવ્યું કે અમારો અસલી ઉદ્દેશ્ય દેશને તેના સાચા ઈતિહાસ વિશે જમાવવાનો છે. વાઈસ ચેરમેન મુજબ નેતાજી સુભાષ ચંદ્ર બોસે સ્વતંત્રતા અપાવવા માટે શું કામ કર્યું, તે હજી દેશે જાણ્યું જ ક્યાં છે?
વાઈસ ચેરમેને કહ્યું કે સુભાષ ચંદ્ર બોસ આઈએનએ ટ્સ્ટ કે દેશને તેનો સાચો ઈતિહાસ મળે દિશામાં કામ કરી રહ્યું છે. આની સાથે જ તેમણે જણાવ્યું કે નેતાજીએ દેશના સ્વતંત્રતા આંદોલન અને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, તેમના યોગદાનને દેશે હજી સુધી જાણ્યું જ નથી. તેમના મુજબ નવા-નવા તથ્યો સામે આવી રહ્યાં છે, જેને લોકો સામે લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ભારતના ઈતિહાસ સાથે છેડછાડ
ટ્રસ્ટના વાઈસ ચેરમેન ડૉ. જેએસ રાજપૂત મુજબ વર્ષ 1970ની આસપાસ અમારા ઈતિહાસકારોએ એક વિશેષ વિચારધારાના પક્ષે લખવું શરૂ કર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે એ લોકોએ ભારતના ઈતિહાસ સાથે છેડછાડ કરી, જે બાદ કેટલાય પક્ષોને છૂપાવવામાં આવ્યા, જેનાથી આજના લોકો અજાણ છે. નેતાજી સુભાષ ચંદ્ર બોસનું નામ દેશના એવા મહાપુરુષોમાં આવે છે, જેમણે દેશની આઝાદીની જંગમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આઝાદીની લડાઈમાં તેમણે 'તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા', 'દિલ્હી ચલો' અને 'જય હિંદ' જેવા નારાથી સ્વતંત્રતા સંગ્રામમાં નવો જીંવ ફૂંકવાનું કામ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
