4 થી 12 જૂન સુધી ચાલશે સંસદનું વિશેષ સત્ર, કમલનાથ હશે પ્રોટેમ સ્પીકર
નવી દિલ્હી, 29 મે: નરેન્દ્ર મોદી કેબિનેટની બીજી મહત્વપૂર્ણ બેઠક ગુરૂવારે થઇ હતી. નરેન્દ્ર મોદીની અધક્ષતામાં આજે કેબિનેટની બેઠક 11.30 વાગે થઇ. ત્રણ દિવસના કાર્યકાળમાં કેબિનેટ આ બીજી બેઠક છે. આ દરમિયાન 16મી લોકસભાનું પ્રથમ સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બેઠક ઉપરાંત સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂએ કહ્યું કે 16મી લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર 4 જૂનથી બોલાવવા પર નિર્ણય કરવામાં આવ્યો છે. 4 થી 12 જૂન સુધી વિશેષ સત્ર ચાલશે. વિશેષ સત્ર દરમિયાન નવા સાંસદોને શપથ લેવડાવામાં આવશે. નવા સાંસદ 4 અને 5 જૂનના રોજ શપથ લેશે. ત્યારે વિશેષ સત્ર દરમિયાન લોકસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવશે. 6 જૂનના રોજ લોકસભા સ્પીકર ચૂંટવામાં આવશે. ત્યારબાદ 9 જૂનના રોજ સંયુક્ત બેઠક થશે. કમલનાથ હાજ પ્રોટેમ સ્પીકર હશે.

નાયડૂએ જણાવ્યું હતું કે નવ જૂનના રોજ રાષ્ટ્રપતિ બંને સદનોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ત્યારબાદ 10 અને 11 જૂનના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ બેઠક બુધવારે સાંજે પાંચ વાગે થવાની હતી પરંતુ પછી તેને ટાળી દેવામાં આવી હતી. આ પહેલાં મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક મંગળવારે થઇ હતી. તેમાં કાળાધનને લઇને એક મહત્વપૂર્ણ ફેંસલો કરવામાં આવ્યો. સરકારે આ મુદ્દે એસઆઇટી બનાવવાનો નિર્ણય કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય કાર્ય મંત્રીનો પદભાર સંભાળ્યાના તાત્કાલિલ બાદ એમ વેંકૈયા નાઇડૂએ બુધવારે સંકેત આપ્યા કે સરકાર વિપક્ષને સમાયોજિત કરવા માટે 'વધારે પ્રયત્ન' કરશે. તેની વ્યાખ્યા આ પ્રકારે કરી શકાય કે સરકાર કોંગ્રેસને મુખ્ય વિપક્ષી દળના રૂપમાં માન્યતા આપવાના મુદ્દે આકરું વલણ અપનાવશે નહી અને પર્યાપ્ત સંખ્યામાં સાંસદ ન હોવાછતાં તે કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ આપી શકે છે. વેંકૈયા નાયડૂએ જો કે આ મુદ્દે પૂછવામાં આવેલા સીધા પ્રશ્નોને એમ કહીને સ્પષ્ટ કરી દિધું કે અમે આ મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસને 16મી લોકસભામાં ફક્ત 44 સીટો મળી છે જે 543 સદસ્યીય સદનમાં વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યાથી 11 ઓછા છે. આ મુદ્દા પર નિર્ણય કરવાનો વિશેષાધિકાર હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
